નથુરામ ગોડસેને હિન્દુ આતંકી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હસનને મળી આ ધમકી
નથૂરામ ગોડસેને હિન્દુ આતંકવાદી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હાસનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે મેરઠમાં કહ્યું કે ગોડસેને આતંકવાદી કહેવાવાળા મુર્ખ છે અને હિન્દુઓના નામ પર કલંક છે. અભિષેક અગ્રવાલે કહ્યું કે ગોડસેનું નામ લઈને કમલ હાસન ખરાબ રાજનીતિ કરી રહ્યાં છે અને પોતાને […]
નથૂરામ ગોડસેને હિન્દુ આતંકવાદી કહેવા પર ફિલ્મ અભિનેતા કમલ હાસનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે મેરઠમાં કહ્યું કે ગોડસેને આતંકવાદી કહેવાવાળા મુર્ખ છે અને હિન્દુઓના નામ પર કલંક છે.
અભિષેક અગ્રવાલે કહ્યું કે ગોડસેનું નામ લઈને કમલ હાસન ખરાબ રાજનીતિ કરી રહ્યાં છે અને પોતાને નુકસાન કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તેમને આરોપ લગાવ્યો હતો કે આતંકી ગતિવીધીઓને અંઝામ આપવાવાળા કમલ હાસન, ફારૂખ અબ્દુલ્લા, નવજોત સિંહ સિદ્ધુ અને મહેબૂબા મુફ્તી જેવા લોકો છે. આ આતંકીઓના રક્ષક છે.
આ પણ વાંચો: ભાજપના કેન્દ્રીય મંત્રીના આરોપ પર અભિનેતા રિતેશ દેશમુખે આપ્યો આ જવાબ
અગ્રવાલે વધુમાં કહ્યું કે હિન્દુ મહાસભા જાહેર કરે છે કે જો લોકપ્રિયતા મેળવવા માટે ગોડસેનું નામ આતંકવાદી તરીકે લેવામાં આવ્યું તો હાસન તેમની હત્યા માટે પોતે જવાબદાર હશે. તેમને કહ્યું કે ગોડસે હિન્દુઓના આદર્શ હતા અને રહેશે. કમલ હાસનને ધમકી આપતા કહ્યું કે હાસનને ગાંધીજીની પાસે મોકલવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]