અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નહીં, માત્ર 45 દિવસનો બચ્યો છે કાર્યકાળ
અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. […]
અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. આ સંજોગોમાં કમળા ચાવડા, જે.ડી.પટેલ કે દેવેન્દ્ર વિસનગરીનું નામ ચર્ચામાં છે. જો આ નેતાઓ વિપક્ષ નેતાનો પદભાર સંભાળે તો આગામી પાંચ વર્ષ માટે મળતો અન્ય હોદ્દો ગુમાવો પડે તેવો ડર છે. ત્યારે આ અંગે હવે શું નિર્ણય આવે છે તેની રાહ જોવી રહી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો