ઉતરાખંડમાં જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકી, સુરેન્દ્રનગર ભાજપના એક કાર્યકરનું મોત, બે લાપત્તા
સુરેન્દ્રનગર ભાજપના કાર્યકરોને ઉતરાખંડમાં નડેલા ગંભીર અકસ્માતમાં એકનુ મોત નિપજ્યુ છે. તો બે જણા લાપત્તા છે. સુરેન્દ્રનગર ભાજપના ચાર કાર્યકરો કારમાં ઋષિકેશથી બદ્રીનાથ જઈ રહ્યાં હતા તે સમયે, અલકનંદા નદીની 250 મીટર ઊંડી ખાઈમાં કાર પડી હતી. ઉતરાખંડના જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખાઈમાં ઈનોવા કાર ખાબકતા કારમાં સવાર 4 પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત […]
સુરેન્દ્રનગર ભાજપના કાર્યકરોને ઉતરાખંડમાં નડેલા ગંભીર અકસ્માતમાં એકનુ મોત નિપજ્યુ છે. તો બે જણા લાપત્તા છે. સુરેન્દ્રનગર ભાજપના ચાર કાર્યકરો કારમાં ઋષિકેશથી બદ્રીનાથ જઈ રહ્યાં હતા તે સમયે, અલકનંદા નદીની 250 મીટર ઊંડી ખાઈમાં કાર પડી હતી.
ઉતરાખંડના જોશીમઠ પાસે 250 મીટર ઊંડી ખાઈમાં ઈનોવા કાર ખાબકતા કારમાં સવાર 4 પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ છે. બે જણા અલકનંદા નદીના પાણીના પ્રવાહમાં તાણાઈ જતા લાપત્તા થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અલકનંદા પાણીના પ્રવાહમાં તણાયેલા બે વ્યક્તિની શોધખોળ કરવા માટે એસડીઆરએફની ટીમ કામે લાગી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો