વડોદરાની બરોડા ડેરીમાં વહીવટીદારની ચૂંટણી માટે 99.49 ટકા મતદાન, આવતીકાલે પરિણામ જાહેર થશે

વડોદરાની બરોડા ડેરીના મલાઇદાર વહીવટ માટે આજે ચૂંટણી યોજાઇ. બરોડા ડેરીની 13 બેઠકોમાંથી 7 બેઠકો માટે કુલ 99.49 ટકા મતદાન થયું. જેમાં કુલ 594માંથી 591 સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે 3 મતદારોના અવસાન થયા હોવાથી મત નહોતા પડ્યા. જ્યારે એક મતદારે ખુલ્લો મત આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે અધિકારીઓએ નિયમ ભંગના […]

વડોદરાની બરોડા ડેરીમાં વહીવટીદારની ચૂંટણી માટે 99.49 ટકા મતદાન, આવતીકાલે પરિણામ જાહેર થશે
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:11 PM

વડોદરાની બરોડા ડેરીના મલાઇદાર વહીવટ માટે આજે ચૂંટણી યોજાઇ. બરોડા ડેરીની 13 બેઠકોમાંથી 7 બેઠકો માટે કુલ 99.49 ટકા મતદાન થયું. જેમાં કુલ 594માંથી 591 સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે 3 મતદારોના અવસાન થયા હોવાથી મત નહોતા પડ્યા. જ્યારે એક મતદારે ખુલ્લો મત આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે અધિકારીઓએ નિયમ ભંગના આરોપોને ફગાવ્યા હતા. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી ચૂંટણી બાદ હવે આવતીકાલે મતગણતરી યોજાશે. અને બરોડા ડેરીનો મલાઇદાર વહીવટદાર નક્કી થઇ જશે. મહત્વપૂર્ણ છે કે વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થામાં સત્તા મેળવવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે ચેરમેન પદે પૂર્વ ધારાસભ્ય પોતાની સત્તા બચાવી શકે છે કે પછી બરોડા ડેરીમાં નવા જોગીઓ મેદાન મારે છે તે જોવું રસપ્રદ બન્યું છે. આમ પ્રતિષ્ઠાનો જંગ બનેલી બરોડા ડેરીમાં કોને સત્તા મળે છે તેના પણ સૌ કોઇની નજર મંડાઇ છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">