Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
કોરોના વાઈરસને હરાવવા રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ સીરમ ઈન્સ્ટીટ્યુટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે.
કોરોના વાઈરસને હરાવવા રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ સીરમ ઈન્સ્ટીટ્યુટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે. પરંતુ આને લાઈને પણ એક નવો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે સિરમ ઈન્સ્ટીટ્યુટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિવાય અલગ અલગ ભાવથી વેક્સિન આપી રહી છે, જે અયોગ્ય છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી રસી મળશે. પરંતુ રાજ્ય સરકારોને 400 રૂપિયા ચૂકવવા પડશે. જે અયોગ્ય બાબત કહેવાય અને આનાથી રાજયસરકારો ઉપર વધારાનું ભારણ પડશે, જે તદ્દન ખોટું છે. અમારી માંગ છે કે કેન્દ્ર, રાજ્ય સરકારો માટે એક દેશ-એક ભાવ નક્કી કરવામાં આવે.
આપને જણાવી દઈએ કે સિરમ ઈન્સ્ટિટ્યૂટે બુધવારે જ પ્રાઈવેટ હોસ્પિટલો અને રાજ્ય સરકારો માટે વેક્સિનના ભાવ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે.
IMPORTANT ANNOUNCEMENT pic.twitter.com/bTsMs8AKth
— SerumInstituteIndia (@SerumInstIndia) April 21, 2021
વેક્સિનની અછતને લઈને પણ કોંગ્રેસે સરકારને ઘેરી વેક્સિનની અછતને લઈને પણ કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકનનું કહેવું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું વેક્સિન નિર્માણ કરતું રાષ્ટ્ર છે. પરંતુ અત્યાર સુધી તેના 1.3 ટકા જ જનસંખ્યાને રસી આપવામાં આવી છે. આપણા દેશના લોકો જ વેક્સિનની અછતથી ઝઝૂમી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામા આવ્યું છે કે એક બાજુ દેશભરમાં મેડિકલ ઑક્સિજનની અછત છે અને બીજી બાજુ ઓક્સિજનની નિકાસ કરવામાં આવી રહી છે. જ્યારે ટેસ્ટિંગ બૂથ પર પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.