શંકરસિંહ બાપુએ એનસીપી છોડી, પ્રજા શક્તિ મોરચો રચ્યો. પ્રજાની સમસ્યા માટે લડવાની ફરી કરી વાત
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે […]
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એનસીપી (NCP)માંથી રાજીનામુ આપી દિધુ છે. ગયા વર્ષે જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા હતા અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રીપદે નિમણૂંક પામ્યા હતા. એનસીપીમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ વાધેલાએ પ્રજા શક્તિ મોરચો રચવાની જાહેરાત કરીને, પ્રજા શક્તિ મોરચા થકી જનતાની વિવિધ સમસ્યાને વાચા આપવાનો સંકેત આપ્યો છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું.
શંકરસિંહ વાધેલાએ રાજકીય કારકિર્દી જનસંઘ-ભાજપથી શરૂ કરી હતી. ત્યાર બાદ પોતાનો પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નામે સ્થાપ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને છેલ્લે નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. સૂત્રોનું કહેવુ છે કે ગુજરાતમમાં એનસીપીના પ્રદેશ પ્રમુખપદે જયંત પટેલ (બોસ્કી)ની નિમણૂંક સામે બાપુને વાંધો હતો. જેના કારણે શંકરસિંહ વાઘેલાએ એનસીપીને રામરામ કર્યા. જુઓ વિડીયો.