શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા વાલીઓને દબાણ નહી કરેઃ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગુજરાત હાઈકોર્ટે ફિ અને ઓનલાઈન શિક્ષણ અંગે આપેલ ચુકાદા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા કોઈપણ વાલીને દબાણ નહી કરે. ગુજરાત સરકાર અને શાળા સંચાલકો વચ્ચે 13મી એપ્રિલે બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે સમજૂતી થઈ હતી આ સમજૂતી ચાલુ જ છે. ગુજરાત હાઈકોર્ટે ફિ અંગે રાજ્ય સરકારે […]
ગુજરાત હાઈકોર્ટે ફિ અને ઓનલાઈન શિક્ષણ અંગે આપેલ ચુકાદા બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળા સંચાલકો સપ્ટેમ્બર સુધી ફિ ભરવા કોઈપણ વાલીને દબાણ નહી કરે. ગુજરાત સરકાર અને શાળા સંચાલકો વચ્ચે 13મી એપ્રિલે બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે સમજૂતી થઈ હતી આ સમજૂતી ચાલુ જ છે. ગુજરાત હાઈકોર્ટે ફિ અંગે રાજ્ય સરકારે કરેલો જીઆર રદ કર્યો છે. પરંતુ આ ચુકાદા સામે ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં નહી જાય. ગુજરાત હાઈકોર્ટ વિગતે ચૂકાદો આપશે પછી નક્કી કરાશે કે સુપ્રિમકોર્ટમાં જવુ કે નહી.