લખનઉમાં પ્રિયંકા ગાંધીએ ટુંડે કબાબ ખાવાની શું ના પાડી, કરોડો કોંગ્રેસ સમર્થકોમાં શરૂ થઈ ગઈ એક જ સવાલ પર ચર્ચા- પ્રિયંકા નૉન-વેજ ખાય છે કે નહીં?
હાલ દેશના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાના કેન્દ્રસ્થાને કોઈ હોય તો તે છે પ્રિયંકા ગાંધી. જ્યારથી પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરી છે ત્યારથી પ્રિયંકા ગાંઘીની દરેક હિલચાલ પર સૌ કોઈની નજર છે. ત્યારે હવે પ્રિયંકા ગાંધીની લખનઉ મુલાકાત દરમિયાનનો એક કિસ્સો ચર્ચામાં છે. વાત એમ બની છે કે, લખનઉમાં પાર્ટી કાર્યકરોની બેઠક દરમિયાન કોંગ્રેસના મહાસચિવ […]
હાલ દેશના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાના કેન્દ્રસ્થાને કોઈ હોય તો તે છે પ્રિયંકા ગાંધી. જ્યારથી પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરી છે ત્યારથી પ્રિયંકા ગાંઘીની દરેક હિલચાલ પર સૌ કોઈની નજર છે.
ત્યારે હવે પ્રિયંકા ગાંધીની લખનઉ મુલાકાત દરમિયાનનો એક કિસ્સો ચર્ચામાં છે.
વાત એમ બની છે કે, લખનઉમાં પાર્ટી કાર્યકરોની બેઠક દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ભોજનમાં કબાબ પીરસવામાં આવ્યા. પરંતુ પ્રિયંકાએ તે કબાબ ન ખાધા અને મંગળવારે તે કબાબ નથી ખાતા તેમ કહીને કબાબ પાછા મોકલાવી દીધા.
પ્રિયંકા ગાંધી માટે લખનઉના જાણીતા ટુંડે કબાબ મંગાવાયા હતા. આ કબાબ લખનઉમાં સૌથી ફેમસ ગણાય છે. અને એટલે સ્થાનિક કાર્યકરોએ પ્રિયંકાને તે ખવડાવવાની ઈચ્છા થઈ.
પરંતુ પ્રિયંકા પાસે આ પ્લેટ જે હાલતમાં ગઈ તે જ હાલતમાં પાછી આવી. તો કેટલાક નેતાઓ તો એમ પણ કહી રહ્યાં છે કે પ્રિયંકાએ નોન-વેજ ખાવાનું બંધ કરી દીધું છે. તો વળી કેટલાક કાર્યકરોનું કહેવું છે કે મંગળવારે તેઓ નોનવેજ ન ખાતા હોવાથી પ્રિયંકાએ કબાબની પ્લેટ પરત મોકલી.
[yop_poll id=1411]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]