ગલવાન ઘાટીની ઘટના બાદ પ્રથમવાર બોલ્યા મોદી, ભારતીય સૈન્યના જવાનો મારતા મારતા શહીદ થયા છે. જવાનોની શહાદત એળે નહી જાય
લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમવાર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય સૈન્યના જવાનોની શહાદત એળે નહી જાય. શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો, દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. દેશને તેમના માટે માન છે. ભારત શાંતિ ઈચ્છે છે. પણ જો કોઈ ઉશ્કેરશે તો તેનો યથાયોગ્ય જવાબ મળશે. […]
લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમવાર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય સૈન્યના જવાનોની શહાદત એળે નહી જાય. શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો, દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. દેશને તેમના માટે માન છે. ભારત શાંતિ ઈચ્છે છે. પણ જો કોઈ ઉશ્કેરશે તો તેનો યથાયોગ્ય જવાબ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મુખ્યપ્રધાનોની બેઠકમાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોને બે મિનીટ મૌન રાખીને શ્રધ્ધાંજલિ આપી હતી. તો સાથોસાથ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલનો જવાબ પણ મોદીએ આપ્યો હતો. ભારત અને ચીનના સૈન્ય વચ્ચે સોમવારે રાત્રે થયેલી હિંસક અથડામણની ઘટના સામે આવ્યા બાદ, વિપક્ષના નેતા રાહુલ ગાંઘીએ સોશ્યલ મિડીયા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલ ઉઠાવ્યા હતા, કે મોદી ચૂપ કેમ છે ? તેઓ શુ છુપાવી રહ્યાં છે ?