અમદાવાદમાં રથયાત્રા ભલે પૂર્ણ થઈ પરંતુ વિવાદ શરૂ, જગન્નાથ મંદિરનાં મહંતે સરકાર પર સાધ્યું નિશાન, જાણો શું છે વિવાદ
142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં […]
142 વર્ષ બાદ પરંપરાગંત માર્ગે રથયાત્રા નિકળી નહી તે મુદ્દે જગન્નાથ મંદિરના મહંત અને મંદિરના ટ્ર્સ્ટીએ મૌન તોડ્યુ. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કોઈનુ નામ લીધા વિના કહ્યું કે મે એક વ્યક્તિ પર ભરોસો મૂક્યો અને મારો ભરોસો તુટ્યો. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે, રથયાત્રાની પૂર્વ સંધ્યાએ, મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે અમે હાઈકોર્ટમાં જઈએ છીએ. આપણી તરફેણમાં ચુકાદો આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ વાતને મંહતે ભરોષો ગણ્યો છે. જો કે હાઈકોર્ટે રથયાત્રા કાઢવી કે નહી તે અંગે મંદિરને પુછ્યા વિના જ રથયાત્રા કાઢવા સામે સ્ટે આપ્યો. મંદિરને સુપ્રિમ કોર્ટમાં જવાનો પણ સમય મળ્યો નથી. જુઓ વિડીયો.