અનાજ ભારતનું અને એવોર્ડ પાકિસ્તાનનો લેવાનો,કાશ્મીરના ભાગલાવાદી નેતાને ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવાનો પાકિસ્તાની સંસદનો નિર્ણય,ટેરર ફંડીંગનાં આક્ષેપ વચ્ચે ગિલાનીની ગદ્દારી?

પાકિસ્તાનની સંસદે કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવાનો સર્વાનુમત્તે ઠરાવ કર્યો છે. આ સિવાય એક કૉલેજને તેમનું નામ આપવાની તથા તેમની જીવનકથાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સામેલ કરવાના અહેવાલ પણ છે.જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીને પાકિસ્તાને પોતાનું સર્વોચ્ચ સિવિલ સન્માન આપવાની જાહેરાત કરી હતી. નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ અગાઉ ભારતમાં […]

અનાજ ભારતનું અને એવોર્ડ પાકિસ્તાનનો લેવાનો,કાશ્મીરના ભાગલાવાદી નેતાને 'નિશાન-એ-પાકિસ્તાન' આપવાનો પાકિસ્તાની સંસદનો નિર્ણય,ટેરર ફંડીંગનાં આક્ષેપ વચ્ચે ગિલાનીની ગદ્દારી?
http://tv9gujarati.in/kashmir-na-bhagl…n-aapvano-nirnay/
Follow Us:
| Updated on: Jul 29, 2020 | 7:11 AM

પાકિસ્તાનની સંસદે કાશ્મીરના ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવાનો સર્વાનુમત્તે ઠરાવ કર્યો છે. આ સિવાય એક કૉલેજને તેમનું નામ આપવાની તથા તેમની જીવનકથાને શૈક્ષણિક પાઠ્યક્રમમાં સામેલ કરવાના અહેવાલ પણ છે.જમ્મુ કશ્મીરના વિભાજનવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીને પાકિસ્તાને પોતાનું સર્વોચ્ચ સિવિલ સન્માન આપવાની જાહેરાત કરી હતી. નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડ અગાઉ ભારતમાં અભિનયના સરતાજ ગણાતા દિલીપ કુમારને અને જનતા પક્ષની સરકારના વડા પ્રધાન મોરારજી દેસાઇને જાહેર થયો હતો.

Syed Ali Shah Geelani conferred highest civilian award of Pakistan

સૈયદ અલી શાહ ગીલાનીને આ એવોર્ડ જાહેર કરીને પાકિસ્તાને એ વાતનો જગજાહેર પુરાવો આપ્યો હતો કે ગીલાની પહેલેથી પાકિસ્તાનના ખાંધિયા હતા. જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ ભારત સરકારે ગયા વર્ષના ઑગષ્ટની પાંચમીએ રદ કરી ત્યારથી ગીલાની પોતાના ઘરમાં નજરકેદ છે. પાકિસ્તાનની સંસદે ગીલાનીને નિશાન-એ-પાકિસ્તાન આપવાનો ઠરાવ સોમવારે મંજૂર કર્યો હતો. સાથોસાથ ગીલાનીના નામે એક યુનિવર્સિટી સ્થાપવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો. પાકિસ્તાની સાંસદ મુશ્તાક અહમદે રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ મૌખિક મતદાનથી  પસાર થયો હતો. જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ થઇ એની પહેલી વર્ષગાંઠ પર આ નિર્ણય કરીને પાકિસ્તાને વધુ એકવાર પુરવાર કર્યું હતું કે ગીલાની જેવા વિભાજનવાદી નેતાઓ પાકિસ્તાનના ઇશારે જમ્મુ કશ્મીરમાં સતત અશાંતિ સર્જતા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

91 વર્ષના ભાગલાવાદી નેતા સૈયદ અલી ગિલાનીએ કાશ્મીરનાં ભાગલાવાદી રાજકીય જૂથોના ગઠબંધન ‘હુર્રિયત કૉન્ફરન્સ’ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને હુર્રિયતના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ગિલાનીએ સોશિયલ મીડિયા ઉપર એક ઓડિયો ક્લિપ મૂકી છે અને કહ્યું, “હુર્રિયતમાં જે સ્થિતિ ઊભી થઈ છે, તેને જોઈને હું તેની સાથે સંપૂર્ણપણે છેડો ફાડું છું.”ગિલાનીએ સ્વીકાર્યું હતું કે હુર્રિયતમાં ભારતે લીધેલાં પગલાંનો વિરોધ કરવાની ઇચ્છાશક્તિનો અભાવ હતો તથા અન્ય ખરાબ કામોને ‘આંદોલનના વ્યાપકહિત’ના નામે અવગણી દેવાયા હતા.

90-year-old Syed Ali Shah Geelani has reportedly been critical, but stable

ગીલાની પાકિસ્તાનના ટુકડાઓ પર ચાલતી હુર્રિયત કોન્ફરન્સના આજીવન અધ્યક્ષ હતા. હુર્રિયતની સ્થાપનાના પહેલા દિવસથી ગીલાની એના સક્રિય સભ્ય હતા. વચ્ચેના સમયગાળામાં વિભાજનવાદી નેતાઓના સોળ જૂથ રચાયા હતા. આ બધા જૂથોને પાકિસ્તાન જમ્મુ કશ્મીરમાં અશાંતિ સર્જવા મબલખ નાણાં આપતું હતું. અન્ય જૂથોને લાગતું હતું કે ગીલાની કશ્મીર મુદ્દે ભારત સરકાર સાથે બહુ સોફ્ટ વલણ અપનાવી રહ્યા છે. ગીલાની ગયા વર્ષના ઑગષ્ટની પાંચમી પછી રાજકીય પ્રવૃત્તિથી ફારેગ થઇ ગયા હતા. જો કે નજરકેદમાં હોવાથી એ આમ પણ કોઇ રાજકીય પ્રવૃત્તિ કરવાની સ્થિતિમાં રહ્યા નહોતા. 2016માં જમ્મુ કશ્મીરમાં થયેલા હિંસાચાર પછી ગીલાની પર ટેરર ફંડીંગનો આક્ષેપ પણ મૂકાયો હતો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">