ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ચીને પર્વતિય ક્ષેત્રમાં શરૂ કર્યો સંયુક્ત સૈન્ય અભ્યાસ, તણાવ વચ્ચે પણ ચીનની હરકત
લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ પૂ્ર્વ લદ્દાખની LAC પર ભારત અને ચીન અને વચ્ચે તણાવમાં વધારો થયો છે. ગ્લોબલ ટાઈમ્સ મુજબ ચીની સેનાએ દરીયાથી 4700 મીટર ઉંચે નિયાનકિંગ ટૈંગુલા પર સૈન્ય અભ્યાસ કર્યો. ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી હિંસક ઝડપ અંગે કહેવાઈ રહ્યું છે કે 15 જૂનની મોડી સાંજે ગલવાનની ઘાટીમાં […]
લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ પૂ્ર્વ લદ્દાખની LAC પર ભારત અને ચીન અને વચ્ચે તણાવમાં વધારો થયો છે. ગ્લોબલ ટાઈમ્સ મુજબ ચીની સેનાએ દરીયાથી 4700 મીટર ઉંચે નિયાનકિંગ ટૈંગુલા પર સૈન્ય અભ્યાસ કર્યો. ભારત અને ચીન વચ્ચે સર્જાયેલી હિંસક ઝડપ અંગે કહેવાઈ રહ્યું છે કે 15 જૂનની મોડી સાંજે ગલવાનની ઘાટીમાં આ બન્યું કે જેમાં ચીની સૈનિકોએ દ્વિ પક્ષિય સમજૂતિનું ઉલ્લંઘન કરીને ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ ઘટનાને ટાળી શકાઈ હોત અગર ચીન તરફથી આ મુદ્દે સમજૂતિને માન આપવામાં આવ્યું હોત. પ્રવક્તા તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારતીય સેનાનાં 20 જવાન શહીદ થયા તે અંગે ચીન તરફથી દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
ચીનનાં પ્રવક્તાએ આગળ જણાવ્યું છે કે બે જૂને તેમના ફોન દરમિયાન અમેરીકાનાં પ્રમુખ અને નરેન્દ્ર મોદી વચ્ચે ગલવાન ક્ષેત્રમાં ચાલી રહેલા ભારત-ચીન બોર્ડર વિવાદને લઈ એકબીજા સાથે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે ગલવાન ઘાટીમાં જે પણ અથડામણ થઈ તેમાં બંને દેશોની સેનાને નુક્શાન પહોચ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે પૂર્વ લદ્દાખનાં ગલવાન ઘાટી પાસેની LACનું સન્માન કરે છે.