કેમ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો વિગત
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર FIR દાખલ કરવામાં આવી છે અને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ ફરિયાદ શિવમોગા જિલ્લામાં કર્ણાટક ખાતે દાખલ કરવામાં આવી છે. પીએમ કેયર્સ ફંડને લઈને વિવાદ થયો હતો અને તે કિસ્સામાં કોંગ્રેસે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને લઈને જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ઘણાં દિગ્ગજ નેતાઓ […]
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પર FIR દાખલ કરવામાં આવી છે અને તેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ ફરિયાદ શિવમોગા જિલ્લામાં કર્ણાટક ખાતે દાખલ કરવામાં આવી છે. પીએમ કેયર્સ ફંડને લઈને વિવાદ થયો હતો અને તે કિસ્સામાં કોંગ્રેસે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને લઈને જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે ઘણાં દિગ્ગજ નેતાઓ આ ફરિયાદ પરત ખેંચવામાં આવે તે માટે યેદિયુરપ્પા સરકારને સંપર્ક કરી રહ્યાં છે.
પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલાં ટ્વીટમાં કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે પીએમ કેયર નામથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફંડ જનતા માટે નથી. પ્રધાનમંત્રી કેયર માટે જ બનાવવામાં આવ્યું છે. જો ભાજપની સરકારમાં જનતાની કેયર કરવાની ઈચ્છાશક્તિ હોય તો રસ્તાઓ પર મજૂરોના કાફલા ના હોય. આમ આ ટ્વીટના આધારે ફરિયાદ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું કે આ ટ્વીટ દ્વારા પીએમ કેયર ફંડને ફ્રોડ કહેવામાં આવ્યું.
આ પણ વાંચો : સુરત: ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ના ફોર્મ લેવા માટે 1 કિ.મી લાંબી લાઈન લાગી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ફરિયાદ વકીલ પ્રવીણ કેવી દ્રારા દાખલ કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ કેયર ફંડ વિરુદ્ધ કોંગ્રેસે અફવાહ ફેલાવી. આ કોંગ્રેસનું ટ્વીટર હેન્ડલ હોવાથી ફરિયાદ સોનિયા ગાંધીના નામ પર કરવામાં આવી છે. જો કે આ ફરિયાદ બાદ રાજનીતિ ગરમાયી છે.