જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે, સી આર પાટીલના પ્રવાસને લઈને વિપક્ષનો વાર
સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતની સંપર્કયાત્રાએ નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિપક્ષે ઘેર્યા છે. કોરોના કાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે તેવો કટાક્ષ કરતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ કર્યું છે. સી આર પાટીલને ભાજપના ભાઉ કહીને ધાનાણીએ શાબ્દિક ચાબખા મારવાની સાથે વાસ્તવિકતા રજૂ કરી છે. એક […]
સૌરાષ્ટ્ર બાદ ઉતર ગુજરાતની સંપર્કયાત્રાએ નિકળેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિપક્ષે ઘેર્યા છે. કોરોના કાળમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ના નિકળે પણ ભાજપના ભાઉની યાત્રા નિકળે તેવો કટાક્ષ કરતા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટવીટ કર્યું છે. સી આર પાટીલને ભાજપના ભાઉ કહીને ધાનાણીએ શાબ્દિક ચાબખા મારવાની સાથે વાસ્તવિકતા રજૂ કરી છે. એક તરફ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને વિવિધ પ્રકારની માર્ગદર્શીકાઓ પ્રજા ઉપર લાદવામાં આવી છે. આ તમામ માર્ગદર્શીકાઓનો સી આર પાટીલની સંપર્ક યાત્રામા સરેઆમ ભંગ થઈ રહ્યો છે. છતા સરકારી તંત્ર કે વહિવટી પાંખ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. જેને લઈને પરેશ ધાનાણીએ ટવીટમાં કહ્યું કે ભાજપના ભાઉ અને કમલમ માટે અલગ કાટલાઓ છે.
આ પણ વાંચોઃમેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો