VIDEO: ભાજપની ‘તોડજોડ’ની રાજનીતિ ભાજપ પર જ પડી રહી છે ભારે?
તડજોડની રાજનિતિમા માહેર ભાજપને આજે પોતાની એ જ રાજરમતથી ડર લાગી રહ્યોં છે. કારણ કે આ વખતે રાજસ્થાનમા આ જ દાવ કોંગ્રેસે રમવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે રાજસ્થાન ભાજપ મા ભુકંપ આવ્યો છે. ત્યારે ભાજપે પોતાની શાખ બચાવવા ફરી ગુજરાતમાં સોગઠા બેસાડવાનુ શરૂ કર્યું છે. શું છે રાજસ્થાન ના રાજકારણની વર્તમાન પરિસ્થિતી અને શુ […]
તડજોડની રાજનિતિમા માહેર ભાજપને આજે પોતાની એ જ રાજરમતથી ડર લાગી રહ્યોં છે. કારણ કે આ વખતે રાજસ્થાનમા આ જ દાવ કોંગ્રેસે રમવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે રાજસ્થાન ભાજપ મા ભુકંપ આવ્યો છે. ત્યારે ભાજપે પોતાની શાખ બચાવવા ફરી ગુજરાતમાં સોગઠા બેસાડવાનુ શરૂ કર્યું છે. શું છે રાજસ્થાન ના રાજકારણની વર્તમાન પરિસ્થિતી અને શુ છે ગુજરાત કનેક્શન પર કરીયે એક નજર.
14 ઓગસ્ટે રાજસથાાન વિધાન સભાનુ સત્ર શરૂ થશે અને ત્યારે જ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ફ્લોર ટેસ્ટમાં બહુમતિ મેળવવી પડશે. જેમા ભાજપ કોઇ સેંધ મારી ના જાય તે માટે અશોક ગેહલોતે કેટલાય સમયથી પોતાના મંત્રી તથા એમએલએને સુરક્ષિત જગ્યા પર ખસેડયા છે. જો કે સચિન પાયલોટના સમર્થકો અશોક ગેહલોત તરફી મતદાન ન પણ કરે એવી પણ એક શંકાના કારણે ભાજપના કેટલાક MLA ના સંપર્ક કરવાના શરૂ કર્યા હતા. જેની જાણ કેન્દીય ભાજપ ને શુક્રવારે થઇ હતી અને એ કારણે તાત્કાલિક ધોરણે ભાજપના MLAને ગુજરાતમા ખસેડવા આવી રહ્યા છે. અત્યાર સુધી ભાજપના 15 જેટલા એમએલએ ગુજરાતમાં આવી ગયા છે જેમાથી કેટલાક પોરબંદર બાય ફ્લાઇટ આવ્યા તો કેટલાક બાય રોડ આવ્યા હતા. પ્રાંતિક હિંમતનગર સહિત સ્થાનો પર રોકાણ બાદ હવે તમામ MLAને સોમનાથ લઇ જવાશે. જ્યાં 13 ઓગસ્ટ સુધી રાખવામા આવશે જો કે એક ધારાસભ્યે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સરકાર દ્વારા તેમને હેરાન ગતિ થતી હોવાની વાત કરી હતી. સાથે જ ભાજપ રાજસ્થાન પ્રદેશ અધયક્ષ સતિશ પુનિયાએ પણ આ કોગ્રેસ સરકારની હેરાનગતિનો વિષય જ આગળ ધર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનુ છે કે ભાજપ દ્વારા અગાઉ પણ રાજસ્થાનમાં કોંગ્રસને તોડવાનો પ્રાયાસ કરવામા આવ્યો હતો. જો કે તેમા નિષ્ફળતા મળી પરંતુ સમગ્ર પ્રકરણમાં વસુંધરા રાજે એ જ પાર્ટી વિરુધ્ધ કામગીરી કરી અશોક ગેહલોતની સરકારને બરકરાર રાખી હોવાની માહિતી મળી હતી. જેના કારણે સૌથી વધુ વંસુધરા રાજેના સમર્થક એમએલએ ને જ પહેલા ગુજરાત મોકલવામા આવ્યા છે જેના કારણે વંસુધરા રાજે દિલ્હી દરબારમા દોડી ગયા હતા જેપી નડ્ડા સાથે મુલાકાત પણ કરી હતી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી જો કે પોતાના MLAને બરકરાર રાખવા માટે ભાજપે પણ રીસોર્ટ પોલીટીક્સ કરવાનો વારો આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હાલ રાજસ્થાનમાં MLAના સંખયા બળની વાત કરવામા આવે તો કોગ્રેસ 100, બીજેપી 73, અપક્ષ 13 MLA છે. જેયારે બીએસપી6, બીટીપી 2, સીપીઆઇ 2, આરએલ ડી 1, આરએલપી 3 છે. હાલ બહુમત કોંગ્રેસ સાથે છે જો કે બીએસપીના કોગ્રેસમાં વિલય અંગે કાયદાકીય લડત ચાલી રહી છે. જેમા 11 ઓગસ્ટે નિર્ણય આવી શકે એમ છે ત્યારે આ 6 MLA મતદાન કરી શકશે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. બીજી તરફ સચિન પાયલોટ માટે પણ અશોક ગેહલોતે દરવાજા ખોલી દીધા છે. જો કે સચિન પાયલોટના સમર્થનમાં MLA કોગ્રેસ તરફી વોટ કરશે કે રાજીનામુ આપશે તેમના પર પર સરકાર સલામત રહેશે કે તુટશે એનો આધાર છે. તયારે એક તરફ કોંગ્રેસ પોતાને સત્તામા રાખવા પોતાના તમામ MLAને મંત્રીઓને હોટેલમા રાખ્યાં છે. તો બીજી તરફ ભાજપમા એમએલએ ફ્લોર ટેસ્ટમા ગેરહાજર રહે એવા પ્રયાસ કરી રહીં છે. ત્યારે ભાજપ પોતાનુ સંખ્યા બળ ના તુટે એ માટે પોતાના તમામ MLAને સુરક્ષિત સ્થળે ખસેડી રહીં છે. હવે જોવાનુ એ છે કે આ વખતે તોડજોડની રાજનિતિમાં કોની જીત થાય છે અને કોની હાર.