ભાજપના આગેવાનો એક પછી એક કોરોનામાં સપડાતા, 11-12 સપ્ટેમ્બરે યોજાનાર ચિંતન બેઠક કરી રદ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ એક પછી એક કોરોનામાં સપડાતા, ભાજપે આગામી 11 અને 12 સપ્ટેમ્બરે યોજાનારા ચિંતન બેઠક જ રદ કરી નાખી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ સહીત ગુજરાત ભાજપના પ્રદેશ હોદ્દેદારો અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના ગુજરાત પ્રાંતકક્ષાના પદાધિકારઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા. ગુજરાત ભાજપના પ્રદેશ […]
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ એક પછી એક કોરોનામાં સપડાતા, ભાજપે આગામી 11 અને 12 સપ્ટેમ્બરે યોજાનારા ચિંતન બેઠક જ રદ કરી નાખી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ સહીત ગુજરાત ભાજપના પ્રદેશ હોદ્દેદારો અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના ગુજરાત પ્રાંતકક્ષાના પદાધિકારઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેડેલા સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના પ્રવાસ બાદ અનેક કાર્યકરો, પદાધિકારીઓને કોરોના થયો છે. તો બીજી બાજુ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના કર્મચારીઓને પણ કોરોનાનુ સંક્રમણ થયુ છે. આમ કોરોનાનુ સંક્રમણ ભાજપના અન્ય કોઈ પદાધિકારીમાં ના ફેલાય તે માટે કેન્સવીલે ખાતે યોજાનાર ચિંતન બેઠક રદ કરી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો