
ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય ચણામાં કેલ્શિયમ પણ હોય છે. આયર્નનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે.

ગોળ અને ચણા ખાવાથી આપણા હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. ગોળમાં કેલ્શિયમ હોય છે અને ચણામાં રહેલું પ્રોટીન આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેથી શિયાળામાં દરરોજ ગોળ અને ચણા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

ગોળ અને ચણા બંને ખાવાથી આપણા પાચનતંત્રને ફાયદો થાય છે. ચણામાં ફાઈબર હોય છે અને આ તત્વ પેટ માટે વરદાનથી ઓછું નથી. શિયાળામાં જ નહીં ઉનાળામાં પણ લોકોને જમ્યા પછી થોડો ગોળ ખાવો ગમે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)
Published On - 9:08 pm, Mon, 9 December 24