અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એલિયન્સનું રહસ્ય ઉકેલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નાસા હવે આ માટે પુજારીઓની (પાદરીઓ) ભરતી કરવામાં વ્યસ્ત છે. વાસ્તવમાં, આ 24 પાદરીઓનું કામ અંતરિક્ષના શેતાન સાથે લડવાનું નથી, પરંતુ તેમના દ્વારા એ જાણવાનું છે કે વિશ્વના વિવિધ ધર્મોના લોકો એલિયન્સના સમાચાર પર કેવી પ્રતિક્રિયા આપશે.
1 / 6
નાસાના પાદરીઓની ભરતીમાં બ્રિટિશ પાદરી રેવરેન્ડ ડૉ. એન્ડ્ર્યુ ડેવિસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રી તરીકે કામ કરે છે. તેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બાયો-કેમિસ્ટ્રીમાં ડોક્ટરેટની પદવી પણ મેળવી છે.
2 / 6
બ્રિટિશ કોલિન્સ ડિક્શનરી અનુસાર, ધર્મશાસ્ત્રી એવી વ્યક્તિ છે જે ભગવાન વિશે ધર્મ અને ધાર્મિક માન્યતાઓનો અભ્યાસ કરે છે. નાસા જે લોકોની ભરતી કરી રહ્યું છે તેઓને અવકાશમાં પણ મોકલવામાં આવશે નહીં.
3 / 6
આદરણીય ડૉ. એન્ડ્રુ ડેવિસન માને છે કે પૃથ્વીની બહાર એલિયન જીવનના અસ્તિત્વની શક્યતા અત્યંત ઊંચી છે. ડેવિસને, તેમના પુસ્તક એસ્ટ્રોબાયોલોજી એન્ડ ક્રિશ્ચિયન ડૉક્ટ્રિનમાં, પ્રશ્ન પૂછ્યો છે કે, શું ભગવાન બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવનનું સર્જન કરી શક્તા હતા?
4 / 6
અત્યાર સુધી ઉપલબ્ધ વૈજ્ઞાનિક પુરાવા મુજબ, પૃથ્વી અવકાશમાં એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે. અહીં નોંધનીય બાબત એ છે કે આકાશગંગામાં 100 અબજથી વધુ તારાઓ છે અને બ્રહ્માંડમાં 100થી વધુ આકાશ ગંગાઓ છે. આવી સ્થિતિમાં, પૃથ્વીની બહાર પણ જીવન અસ્તિત્વમાં હોઈ શકે તેવી પૂરી સંભાવના છે.
5 / 6
એવામાં એ વાત ખૂબ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ એલિયન્સને શોધવામાં આવે તો તેને લઇને આપણી તૈયારીઓ પૂરી હોય. એના માટે આપણે હમણાંથી તૈયારીઓ કરવી પડશે.