
આ વિસ્તારોને ભારતમાં સંપૂર્ણપણે સમાવવામાં ત્રણ દિવસ લાગ્યા, ત્યારબાદ માઉન્ટબેટને 18 ઓગસ્ટે ભાગલાના નકશામાં સુધારો કર્યો. ત્યારથી અહીંના લોકો 18 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. ભારતને 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી, ત્યારે ઉજવણીને બદલે અહીં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. અહીંના લોકો પાકિસ્તાનમાં જોડાવાથી હેરાન થયા હતા.

હવે આ પરિસ્થિતિને સુધારવા માટે પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી જે તે સમયે એક અગ્રણી નેતા હતા અને નાદિયાના રાજવી પરિવાર જેવા પ્રભાવશાળી લોકોએ બ્રિટિશ વહીવટ પર દબાણ કર્યું. તેમની માંગ હતી કે, આ વિસ્તારોને ભારતમાં સમાવવામાં આવે.

આ મુદ્દો તત્કાલીન વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન સુધી પહોંચ્યો અને તેમણે ભાગલાના નકશામાં સુધારો કરવાનો આદેશ આપ્યો. 17 ઓગસ્ટ 1947 ની રાત્રે, આ સુધારો કરવામાં આવ્યો અને આ વિસ્તારોને સત્તાવાર રીતે ભારતમાં જોડવામાં આવ્યા. આ કારણોસર જ 18 ઓગસ્ટને નાદિયા અને માલદામાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Published On - 5:52 pm, Wed, 13 August 25