Bank Rules : ખાતાધારક પછી જો નોમિનીનું પણ અવસાન થયું તો ? કોને મળશે પૈસા ? જાણો બેંકના નિયમો શું કહે છે

જો ખાતાધારક અને તેના નોમિનીનું અચાનક મૃત્યુ થાય છે, તો પૈસા કોને મળશે? આ પ્રશ્ન ઘણી વખત મનમાં આવે છે પરંતુ આનો જવાબ બહુ ઓછા લોકો જાણે છે. એવામાં ચાલો સમજીએ કે, આ કિસ્સામાં પૈસા કોને મળશે...

| Updated on: Aug 05, 2025 | 4:04 PM
4 / 9
જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં બેંકમાં રહેલા પૈસા કાનૂની વારસદારોને મળશે. કાનૂની વારસદારો એવા લોકો છે કે, જે ખાતાધારકના પરિવાર સાથે જોડાયેલ હોય. ટૂંકમાં કહીએ તો, પતિ/પત્ની, બાળકો, માતા-પિતા અથવા ભાઈ-બહેન.

જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં બેંકમાં રહેલા પૈસા કાનૂની વારસદારોને મળશે. કાનૂની વારસદારો એવા લોકો છે કે, જે ખાતાધારકના પરિવાર સાથે જોડાયેલ હોય. ટૂંકમાં કહીએ તો, પતિ/પત્ની, બાળકો, માતા-પિતા અથવા ભાઈ-બહેન.

5 / 9
આવી સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પૈસા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તેઓ બેંકને સાચા દસ્તાવેજો બતાવશે. સૌ પ્રથમ, બેંકને ખાતાધારક અને નોમિનીના મૃત્યુ વિશે જાણ કરવી પડશે. આ પછી, ડેથ સર્ટિફિકેટ અને વારસદારે પોતાની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો (જેમ કે આધાર અથવા પાન કાર્ડ) સબમિટ કરવા પડશે.

આવી સ્થિતિમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પૈસા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તેઓ બેંકને સાચા દસ્તાવેજો બતાવશે. સૌ પ્રથમ, બેંકને ખાતાધારક અને નોમિનીના મૃત્યુ વિશે જાણ કરવી પડશે. આ પછી, ડેથ સર્ટિફિકેટ અને વારસદારે પોતાની ઓળખ સાબિત કરતા દસ્તાવેજો (જેમ કે આધાર અથવા પાન કાર્ડ) સબમિટ કરવા પડશે.

6 / 9
જો બધું બરાબર ચાલે તો બેંક વારસદારો પાસેથી લેટર ઓફ ડિસ્ક્લેમર અથવા લીગલ હાયર સર્ટિફિકેટ માંગી શકે છે. જો રૂપિયાની રકમ મોટી હોય અથવા ઘણા લોકો દાવો કરી રહ્યા હોય, તો કોર્ટમાંથી સક્સેશન સર્ટિફિકેટ મેળવવું પડી શકે છે.

જો બધું બરાબર ચાલે તો બેંક વારસદારો પાસેથી લેટર ઓફ ડિસ્ક્લેમર અથવા લીગલ હાયર સર્ટિફિકેટ માંગી શકે છે. જો રૂપિયાની રકમ મોટી હોય અથવા ઘણા લોકો દાવો કરી રહ્યા હોય, તો કોર્ટમાંથી સક્સેશન સર્ટિફિકેટ મેળવવું પડી શકે છે.

7 / 9
બેંક આ દસ્તાવેજોની તપાસ કરશે અને પછી વારસદારોમાં પૈસાનું વિતરણ કરશે. આ વિભાજન ભારતીય ઉત્તરાધિકાર કાયદા (જેમ કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) અનુસાર કરવામાં આવશે.

બેંક આ દસ્તાવેજોની તપાસ કરશે અને પછી વારસદારોમાં પૈસાનું વિતરણ કરશે. આ વિભાજન ભારતીય ઉત્તરાધિકાર કાયદા (જેમ કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956) અનુસાર કરવામાં આવશે.

8 / 9
ખાતાધારકે જો વસિયતનામું બનાવ્યું હોય તો તેના મુજબ પૈસા વહેંચવામાં આવશે. જો વસિયતનામું નથી તો કાયદા અનુસાર પરિવારના સભ્યોમાં પૈસા વહેંચવામાં આવશે.

ખાતાધારકે જો વસિયતનામું બનાવ્યું હોય તો તેના મુજબ પૈસા વહેંચવામાં આવશે. જો વસિયતનામું નથી તો કાયદા અનુસાર પરિવારના સભ્યોમાં પૈસા વહેંચવામાં આવશે.

9 / 9
ઉદાહરણ તરીકે, પતિ/પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળી શકે છે. આ સિવાય જો કોઈ વારસદાર ન હોય અથવા તો તે સામે ન આવતો હોય તો લાંબા સમય પછી પૈસા સરકાર પાસે જાય છે પરંતુ આવું ભાગ્યે જ બને છે.

ઉદાહરણ તરીકે, પતિ/પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળી શકે છે. આ સિવાય જો કોઈ વારસદાર ન હોય અથવા તો તે સામે ન આવતો હોય તો લાંબા સમય પછી પૈસા સરકાર પાસે જાય છે પરંતુ આવું ભાગ્યે જ બને છે.

Published On - 4:03 pm, Tue, 5 August 25