
પહેલા પણ જમીન મહેસૂલ ટેક્સ હતો, પરંતુ બ્રિટિશ શાસને તેમાં વધારો કર્યો હતો. જમીનદારી, રાયતવારી અને મહલવારી પ્રણાલી હેઠળ આ ટેક્સ લેવામાં આવતો હતો. ખેડૂતો આ ટેક્સના ભોજ નીચે દબાઈ ગયા હતા જેના કારણે તેઓ દેવામાં પણ ફસાઈ ગયા હતા.

ભારતીય લોકોને જંગલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.લાકડા, મધ, ઘાસચારો અથવા પ્રાણીઓના ચરવા પર ટેક્સ વસૂલવામાં આવતો હતો. પ્રોફેશનલ ટેક્સ વકીલો, ડોકટરો, સોના અને ચાંદીના વેપારીઓ વગેરે જેવા વ્યવસાયો પર ટેક્સ લેવામાં આવતો હતો.

કેટલાક ક્ષેત્રોમાં ધાર્મિક અથવા સામાજિક પ્રતીકો પર પણ ટેક્સ લગાવવામાં આવ્યો હતો.શહેરોમાં માલ સામાન લાવવા અને લઈ જવા પર ટેક્સ વસૂલવામાં આવતો હતો.

ભારતીય પ્રેસની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરવા માટે ન્યુઝપેપર અને છાપેલી સામગ્રીઓ પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો.ભારતમાંથી સસ્તા દરે કાચો માલ નિકાસ કરવામાં આવતો હતો અને તૈયાર માલ મોટો ટેક્સ સાથે લેવામાં આવતો હતો.

આ બધા ટેક્સના કારણે ગરીબી વધી, ખેડૂતો દેવામાં ડૂબી ગયા, લોકો દુષ્કાળને કારણે મરવા લાગ્યા હતા.બ્રિટન ભારતમાંથી દર વર્ષે કરોડો રૂપિયા કમાતું હતું. ટેકસની વસુલાત ક્રુર અને અમાનવીય રીતે કરવામાં આવતી હતી.કેટલાક ટેક્સ એટલા એવા હતા જેના વિરુદ્ધ આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. (ALL photo : canva)