
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્ટીલના ગ્લાસ રાહુની નકારાત્મક અસરોને વધારે છે. નિષ્ણાતો કહે છે કે, જ્યારે રાહુ નબળો પડે છે, ત્યારે તમને સ્વાસ્થ્ય સમસ્યા, મૂંઝવણ અથવા મોટિવેશનનો અભાવ અનુભવી શકાય છે.

વધુમાં વાસ્તુ નિષ્ણાતો શુક્રની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે તમે સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીઓ છો, ત્યારે તમારો શુક્ર પણ નબળો પડી જાય છે. હવે એવામાં જો શુક્ર નબળો પડે છે, ત્યારે તે તમારા સંબંધો પર સીધી અસર કરે છે. આ સિવાય તમને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બીજાની સામે તમારું આકર્ષણ પણ ઘટી જાય છે.