
ખાસ વાત એ છે કે માતા તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે.ભગવાન વિષ્ણુની પૂજા માતા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે.

જે ઘરમાં દરરોજ માતા તુલસી પૂજા કરવામાં આવે છે અને જળ ચઢાવવામાં આવે છે, તે ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નથી આવતી અને વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીજીની પૂજા કરતી વખતે કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જેને કરતી વખતે ટાળવી જોઈએ.

ધ્યાન રાખો કે માતા તુલસીને હંમેશા સવારે જ જળ ચઢાવવું જોઈએ. ભૂલથી પણ સાંજે માતા તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. સવારે જળ ચઢાવવાથી વ્યક્તિ દેવાથી મુક્ત થઈ જાય છે અને તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી રહ્યા છો તો તેની દિશાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ભૂલથી પણ તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ, નહીં તો વ્યક્તિ સંપૂર્ણપણે ગરીબ થઈ શકે છે. નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
Published On - 9:36 am, Tue, 10 December 24