
મંદિરમાં બાળકો માટે એક મનોરંજન પાર્ક પણ છે જ્યાં બાળકો આખો દિવસ રમી શકે છે. મંદિરમાં ભક્તો માટે રહેવા માટે એસી અને નોન-એસી રૂમ ઉપલબ્ધ છે. મંદિરમાં ભક્તો માટે યજ્ઞશાળા પણ છે જ્યાં પંડિતો દ્વારા સંપૂર્ણ વિધિ સાથે યજ્ઞ કરવામાં આવે છે.

સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. અમદાવાદ નજીક રહેતા લોકો વીકએન્ડમાં એક વખત આ ગણપતિ મંદિરની જરુર મુલાકાત લે છે.

આ મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. તમે પણ ગુજરાતમાં આવેલા આ તમામ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો