Travel: માત્ર ભોપાલ જ નહીં હિમાચલની મંડીમાં પણ આવેલા છે ઘણા સરોવર, આ સરોવરની મુલાકાત અવશ્ય લેજો

મધ્યપ્રદેશના ભોપાલને તળાવોનું શહેર કહેવામાં આવે છે, પરંતુ તમે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પણ સ્વચ્છ તળાવોની મજા માણી શકો છો. આ સરોવરોનો આનંદ માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચનો સમયગાળો શ્રેષ્ઠ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 1:19 PM
રેવાલસર તળાવ મંડી શહેરથી લગભગ 23 કિમી દૂર છે. હિમાલયની તળેટીમાં 1360 મીટરની ઊંચાઈએ આવેલા આ તળાવનો આકાર ચોરસ છે. આ તળાવ વિશે એવું કહેવાય છે કે તે રાખમાંથી બનેલું છે. તે હિન્દુઓ, બૌદ્ધો અને શીખો માટે એક સામાન્ય તીર્થસ્થાન પણ છે. તળાવની સાથે જ અહીં એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.

રેવાલસર તળાવ મંડી શહેરથી લગભગ 23 કિમી દૂર છે. હિમાલયની તળેટીમાં 1360 મીટરની ઊંચાઈએ આવેલા આ તળાવનો આકાર ચોરસ છે. આ તળાવ વિશે એવું કહેવાય છે કે તે રાખમાંથી બનેલું છે. તે હિન્દુઓ, બૌદ્ધો અને શીખો માટે એક સામાન્ય તીર્થસ્થાન પણ છે. તળાવની સાથે જ અહીં એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.

1 / 5
કમરૂનાગ તળાવ મંડીથી 68 કિલોમીટર દૂર છે. આ તળાવ દેવ કમરૂનાગને સમર્પિત છે. અહીં લોકો માનતા માનીને જાય છે અને માનતા પુરી થયા પછી ભગવાન કમરૂનાગના દર્શન કરે છે, પછી તેમાં સોનું, ચાંદી, સિક્કા અને નોટોનું દાન કરે છે. આ સરોવરનો આનંદ માણવા માટે તમારે 6 કિલોમીટર પગપાળા ચઢવું પડે છે.

કમરૂનાગ તળાવ મંડીથી 68 કિલોમીટર દૂર છે. આ તળાવ દેવ કમરૂનાગને સમર્પિત છે. અહીં લોકો માનતા માનીને જાય છે અને માનતા પુરી થયા પછી ભગવાન કમરૂનાગના દર્શન કરે છે, પછી તેમાં સોનું, ચાંદી, સિક્કા અને નોટોનું દાન કરે છે. આ સરોવરનો આનંદ માણવા માટે તમારે 6 કિલોમીટર પગપાળા ચઢવું પડે છે.

2 / 5
રેવાલસરથી કુંતાભયો તળાવ લગભગ 6 કિલોમીટર દૂર છે. કહેવાય છે કે એક વખત અર્જુને માતા કુંતીની તરસ છીપાવવા માટે બાણ વડે પાણીનો પ્રવાહ છોડ્યો હતો. બાદમાં એ પ્રવાહે તળાવનું રૂપ ધારણ કર્યું. આ તળાવના પાણીનો રંગ વાદળી-લીલો જોવા મળે છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. તળાવથી લગભગ એક કિલોમીટર દૂર, રસ્તાની બાજુમાં એક નાની ટેકરી પર ગુફાઓ છે, જે બૌદ્ધ સાધુઓ માટે સાધનાનું પવિત્ર સ્થળ છે.

રેવાલસરથી કુંતાભયો તળાવ લગભગ 6 કિલોમીટર દૂર છે. કહેવાય છે કે એક વખત અર્જુને માતા કુંતીની તરસ છીપાવવા માટે બાણ વડે પાણીનો પ્રવાહ છોડ્યો હતો. બાદમાં એ પ્રવાહે તળાવનું રૂપ ધારણ કર્યું. આ તળાવના પાણીનો રંગ વાદળી-લીલો જોવા મળે છે જે લોકોને તેની તરફ આકર્ષિત કરે છે. તળાવથી લગભગ એક કિલોમીટર દૂર, રસ્તાની બાજુમાં એક નાની ટેકરી પર ગુફાઓ છે, જે બૌદ્ધ સાધુઓ માટે સાધનાનું પવિત્ર સ્થળ છે.

3 / 5
મંડી શહેરથી પરાશર તળાવ 49 કિલોમીટરના અંતરે છે. એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ પરાશર ઋષિ દ્વારા થઈ હતી. તેણે પોતાનું શસ્ત્ર જમીન પર માર્યુ, શસ્ત્ર જમીનની અંદર પહોંચતા જ પાણીનો પ્રવાહ બહાર આવ્યો અને તેણે તળાવનું રૂપ ધારણ કર્યું. તળાવની સાથે અહીં પરાશર ઋષિનું મંદિર પણ બનેલું છે. સાથે જ તમે અહીંની ખીણોની મજા પણ માણી શકો છો.

મંડી શહેરથી પરાશર તળાવ 49 કિલોમીટરના અંતરે છે. એવું માનવામાં આવે છે કે તેની ઉત્પત્તિ પરાશર ઋષિ દ્વારા થઈ હતી. તેણે પોતાનું શસ્ત્ર જમીન પર માર્યુ, શસ્ત્ર જમીનની અંદર પહોંચતા જ પાણીનો પ્રવાહ બહાર આવ્યો અને તેણે તળાવનું રૂપ ધારણ કર્યું. તળાવની સાથે અહીં પરાશર ઋષિનું મંદિર પણ બનેલું છે. સાથે જ તમે અહીંની ખીણોની મજા પણ માણી શકો છો.

4 / 5
સુંદરનગર તળાવને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એટલું સુંદર છે કે તમે અહીંનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. તે મંડીથી 25 કિમીના અંતરે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 સાથે સુંદરનગરમાં આવેલું છે. આ તળાવમાંથી 990 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

સુંદરનગર તળાવને કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું છે, પરંતુ તે એટલું સુંદર છે કે તમે અહીંનો નજારો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો. તે મંડીથી 25 કિમીના અંતરે ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે-21 સાથે સુંદરનગરમાં આવેલું છે. આ તળાવમાંથી 990 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">