દેશ ભરમાં પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (TMKOC) કેટલા સમયથી દયાભાભી જોવા નથી મળ્યા. આ પાત્રની લોકપ્રિયતા એટલી વધારે હતી કે તેમના જવાથી દર્શકોને શોમાં પહેલા જેવી મજા નથી આવી રહી.
લાંબા સમયથી તારક મહેતા શો ના દર્શકો બે જ સવાલ પૂછી રહ્યા છે. 1. દયાભાભી પાછા ક્યારે આવશે ? અને બીજો પોપટલાલના લગ્ન ક્યારે થશે ?
દર્શકો લાંબા સમયથી દયાબેનને પરત લાવવાની માંગ કરી રહ્યા છે. દયાબેનની વાપસીને લગતા સમાચાર પણ ઘણી વખત આવતા રહેતા હોય છે. પરંતુ હવે તેમના પરત ફરવાને લઇને માહિતી સામે આવી છે. તો જાણો દયાબેન ક્યારે પાછા શોમાં જોવા મળશે.
દયા ભાભીનું પાત્ર દિશા વાકાણી ભજવી રહી છે. તે ગત 3 વર્ષથી શો માં જોવા નથી મળી. મેટરનીટી લીવ પર ગયા બાદ તે શોમાં પરત ફરી જ નહી પરંતુ તેમની રાહ જોતા મેકર્સ શોમાં તેમનું પાત્ર ભજવવા માટે અન્ય કલાકારને ન લાવ્યા
3 વર્ષથી પ્રોડ્યુસર અને શોના મેકર્સ દિશાની પરત આવવાની રાહ જોઇ રહ્યા છે પરંતુ હજી સુધી તે સંભવ થઇ શક્યુ નથી.
શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ એક એપિસોડ દરમિયાન જણાવ્યુ કે કોરોના મહામારીનો અંત થતા જ દયાબેન શોમાં વાપસી કરશે.
દયા બેનના પરત ફરવાની આ વાત સાંભળતા જ દર્શકો ખૂબ ખુશ થઇ ગયા છે.