Gujarati NewsPhoto galleryTirupati Balaji is the owner of crores of wealth people were stunned to know about his wealth
કરોડોની સંપત્તિના માલિક છે તિરુપતિ બાલાજી, તેમની સંપત્તિની માહિતી જાણી દંગ રહી ગયા લોકો
Tirupati Balaji: તિરુપતિ મંદિર દ્વારા તેના સંપત્તિની જાહેરાત કરવામાં આવી છે. હજારો ભક્તો દ્વારા આપવામાં આવેલ દાનના કારણે તિરુપિતિ બાલાજી કરોડોની સંપત્તિના માલિક બની ગયા છે. તેનો આંકડો જાણીને તમે ચોંકી જશો.
આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ બાલાજીનું મંદિર દુનિયાભરના કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. હજારો ભક્તો દરરોજ તેમના દર્શન માટે આવીને ધન્યતાની અનૂભુતિ કરે છે. દર વર્ષે ભક્તો દ્વારા આ મંદિરમાં દાન આપવામાં આવે છે. હાલમાં મંદિર દ્વારા તિરુપિતિ બાલાજીની સંપત્તિની માહિતી આપવામાં આવી છે.
તિરુપતિ બાલાજી મંદિર વિવિધ બેંકોમાં 14,000 કરોડથી વધુની ફિક્સ ડિપોઝીટ ધરાવે છે.
તિરુપતિ બાલાજી મંદિર પાસે લગભગ 14 ટન સોનાનો ભંડાર છે. મંદિરની માસિક આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં હુંડી દ્વારા કુલ દાન 700 કરોડ રુપિયાને પાર કરી ગયું છે.
આખા દેશમાં મંદિરના નામ પર 960 સંપત્તિઓ છે, જેની કિંમત 85,705 કરોડ છે.
આખા દેશમાં તિરુપતિ મંદિરના નામે 7,123 એકર જમીન છે.