Stocks Forecast : શું શેરમાર્કેટમાં કડાકો આવશે ? આ 3 સ્ટોકમાં રોકાણ કર્યું હોય, તો ચેતી જજો ! નિષ્ણાતોએ કરી મોટી ભવિષ્યવાણી
શેરમાર્કેટમાં આજે એટલે કે 28 ઓકટોબરના રોજ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા. એવામાં નિષ્ણાતોએ 3 સ્ટોકને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

'Nestle India Ltd' ના શેરને લઈને 40 એનાલિસ્ટે પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. 40 માંથી 12 લોકોએ આ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે, જ્યારે 17 એનાલિસ્ટે આ શેરને હોલ્ડ પર રાખવાની વાત કરી છે. બીજીબાજુ 11 એનાલિસ્ટે આ સ્ટોકને વેચવાની સલાહ આપી છે.

'Nestle India Ltd' ના સ્ટોકની વાત કરીએ તો, તે ₹1,271.00 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોના મત મુજબ, 'Nestle India Ltd' ના શેર ભવિષ્યમાં +1.70% વધીને ₹1,292.65 સુધી જઈ શકે છે. જો કે, આવનારા 1 વર્ષમાં આ સ્ટોક +18.02% વધીને ₹1,500.00 ની આસપાસ પહોંચી શકે છે, જ્યારે તેમાં -20.54% સુધીનો ઘટાડો આવશે તેવી શક્યતા છે. જો ઘટાડો આવશે તો શેરની કિંમત ₹1,010 ના તળિયે આવી શકે છે.

'NCC Limited' ના શેરને લઈને પણ વિશેષજ્ઞોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે. જોવા જઈએ તો, 12 એનાલિસ્ટમાંથી 9 લોકોએ આ સ્ટોકને ખરીદવાની ભલામણ આપી છે. ખાસ વાત એ છે કે, 2 એનાલિસ્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાની અને 1 એનાલિસ્ટે આ શેર વેચવાની વાત કરી છે.

'NCC Limited' ના શેરમાં હાલમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોક ₹210.61 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ભવિષ્યમાં આ શેરનો ભાવ +25.94% જેટલો વધી શકે છે અને તે ₹265.25 પર જોવા મળી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 1 વર્ષમાં 'NCC Limited' ના શેર +49.57% વધીને ₹315.00 ની આસપાસ જોવા મળશે, તેવી શક્યતા છે.

'Aditya Birla Capital Ltd.' ના સ્ટોક અંગે વાત કરીએ તો, આ શેરને લઈને 12 વિશ્લેષકે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તમામ લોકોએ આ સ્ટોક ખરીદવાની વાત કરી છે.

'Aditya Birla Capital Ltd.' ના શેર ₹312.60 પર ટ્રેડ થઈ રહ્યા છે. એવામાં તેના ભાવ ભવિષ્યમાં +4.45% વધીને ₹326.50 સુધી પહોંચશે, તેવી ધારણા વિશ્લેષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં 'Aditya Birla Capital Ltd.' ના સ્ટોક +10.36% ની સાથે ₹345.00 ની ટોચે પહોંચશે, તેવી સંભાવના છે. જો માર્કેટ ક્રેશ થશે તો આ શેર -4.03% ના ઘટાડા સાથે ₹300.00 ની આસપાસ જોવા મળી શકે છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરમાર્કેટને લગતી આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
