ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હવે નીરજની નજર પેરિસ ઓલિમ્પિકમાં આ સિદ્ધિનું પુનરાવર્તન કરવા પર ટકેલી છે. પેરિસ ઓલિમ્પિકનું શિડ્યુલ આવી ગયું છે. નીરજ હવે તે પ્રમાણે તૈયારી કરશે.
ટોચના આઠ ખેલાડીઓ ફાઇનલમાં પ્રવેશ કરશે. આ ઈવેન્ટની ફાઈનલ 8 ઓગસ્ટે યોજાશે. વર્ષ 2021માં ફાઈનલ 7 ઓગસ્ટે યોજાઈ હતી જેમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ વર્ષ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે ડાયમંડ લીગ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને તે પેરિસ માટે પોતાની તૈયારીઓને મજબૂત કરવા માંગે છે. પેરિસ ઓલિમ્પિક સુધી તેની ફિટનેસ અને ફોર્મ બંને શાનદાર રાખવાનો તેનો પ્રયાસ છે.
નીરજની નજર પેરિસ ઓલિમ્પિક પહેલા 90 મીટરના માર્ક પર પણ છે. તે અત્યાર સુધી 90 મીટરથી વધુ ફેંકી શક્યો નથી. જો તે પેરિસ ઓલિમ્પિક પહેલા આ અડચણને પાર કરી લેશે તો તેનો આત્મવિશ્વાસ ઘણો વધી જશે.
પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની સ્ટીપલચેઝ ફાઈનલ 7 ઓગસ્ટના રોજ યોજાશે. આ વખતે ભારતના સ્ટાર અવિનાશ સાબલે પાસેથી ઘણી અપેક્ષાઓ છે. બીજી તરફ ટ્રિપલ જમ્પની ફાઈનલ ઈવેન્ટ 9 ઓગસ્ટે યોજાશે. હાઈ જમ્પની ફાઈનલ ઈવેન્ટ 10 ઓગસ્ટે યોજાશે, જેમાં ભારતની નજર તેજસ્વિન શંકર પર રહેશે. (Neeraj Chopra Twitter)