
છીંક દબાવી દેવાથી શરીરમાં વધારાનું દબાણ અંદર જ રહી જાય છે, જેના કારણે આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ઘણી વાર આ વધારે પ્રેશર શ્વાસનળીની કોશિકાઓને નુકસાન પહોંચાડે છે અને ગંભીર તકલીફો ઉભી કરે છે.

છીંકને દબાવવા જતા, નાક મારફતે બહાર નીકળવાની રહેલી તીવ્ર હવા કાનની અંદર તરફ ધકેલાય છે. તેના કારણે કાનનો પડદો ફૂલાઈ જાય છે અને તેને નુકસાન થવાની શક્યતા રહે છે. તેથી છીંકને અટકાવવી બિલ્કુલ યોગ્ય માનવામાં આવતી નથી. ( Credits: Getty Images )

આંખની રક્ત નસો પર તાણ આવી આંખ લાલ થવી કે નુકસાન થઈ શકે. નાક-ગળામાં જીવાણુ અટકીને ઈન્ફેક્શન વધી શકે. છીંકને જોરથી દબાવવાથી શરીરમાં અંદર દબાણ વધી શકે છે. કાનમાં પ્રેશર વધી “કાનનાં પડદા” ફાટી શકે છે. ( Credits: Getty Images )

માથામાં દબાણ વધવાથી ચક્કર કે માથાનો દુખાવો થઈ શકે. એટલે છીંક સ્વાભાવિક રીતે બહાર આવવા દેવી ખૂબ જ જરૂરી છે. જો તમે જાહેરમાં હોવ તો રૂમાલ, હાથરૂમાલ કે ટિશ્યુથી નાક-મોઢું ઢાંકીને છીંકવી જોઈએ. પછી હાથ સારી રીતે ધોઈ લેવો જોઈએ. ( Credits: Getty Images )

છીંક શરીરને સુરક્ષિત રાખવા માટે કુદરતની ભેટ છે. તેને દબાવવી કે રોકવી ખતરનાક થઈ શકે છે. બસ, યોગ્ય રીતથી ઢાંકી ને છીંકવી એ સંસ્કારી અને સ્વસ્થ રીત છે. ( Credits: Getty Images )