
ત્યારબાદ ભગવાન શિવે પોતાના ડમરુના નાદ અને તાંડવ નૃત્ય દ્વારા 14 વખત સંગીતની રચના કરી, જેના કારણે તેમને સંગીતના આદિ પ્રણેતા તરીકે માન અપાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમા ડમરુ સ્થાપિત કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે.જો તમે તમારા ઘરમાં ડમરુ સ્થાપિત કરો, તો તેને રોજ ઘંટની માફક વગાડવું શુભ માનવામાં આવે છે. આ ક્રિયા દ્વારા ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂજાઘરમાં ડમરુ સ્થાપિત કરવાથી વાસ્તુ સંબંધિત દોષો દૂર થાય છે. સાથે જ, તેને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

જેમ શંખનાદથી નવી ઊર્જાનો સંચાર થાય છે, તેમ ડમરુના નાદથી ઉત્પન્ન થતી ધ્વનિ તરંગો શરીરના વિવિધ અંગોમાં સકારાત્મક પ્રભાવ પહોંચાડે છે. (Credits: - Canva)

ડમરુ શિવજીનું અતિ પ્રિય વાદ્ય હોવાથી, તેને પૂજાઘરમાં સ્થાપિત કરવાથી ભક્તોને ભોલેનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)