
રિચા શર્માના મૃત્યુ પછી મોડેલ રિયા પિલ્લઈ સંજયના જીવનમાં આવી. તેઓ એકબીજાને પહેલાથી જ જાણતા હતા પરંતુ સંજયને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ જવું પડ્યું ત્યારે બંને વચ્ચે નિકટતા વધી ગઈ. આ સમય દરમિયાન, રિયાએ સંજયનો સાથ છોડ્યો નહીં. રિયા પિલ્લઈ મુશ્કેલ સમયમાં સંજયની સાથે ઊભી રહી અને તેનું દિલ જીતી લીધું. જેલમાંથી બહાર આવ્યા પછી સંજયે વેલેન્ટાઈન ડે પર રિયાને પ્રપોઝ કરી અને બંનેએ 14 ફેબ્રુઆરી 1998 ના રોજ લગ્ન કરી લીધા.

લગ્ન પછી સંજય દત્તે એકસાથે ઘણી ફિલ્મો સાઇન કરી અને શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો. આ કારણે તે રિયાને સમય આપી શક્યો નહીં. આનાથી તેમની વચ્ચે અંતર વધ્યું અને દસ વર્ષના લગ્નજીવન પછી વર્ષ 2008 માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સંબંધ તૂટવા માટે સંજયને જવાબદાર ઠેરવવામાં આવ્યો, જેના કારણે તે લોકોની નજરમાં વિલન બની ગયો. બીજીબાજુ કેટલાક લોકો માને છે કે, જ્યારે સંજય દત્ત માન્યતાની નજીક આવી રહ્યો હતો, ત્યારે રિયા ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને ડેટ કરી રહી હતી. આ કારણે બંને અલગ થઈ ગયા અને છૂટાછેડા માટે અરજી કરી.

કહેવાય છે કે, સંજય દત્તે છૂટાછેડાના બદલામાં રિયા પિલ્લઈને બાંદ્રામાં બે ફ્લેટ આપ્યા હતા. તેણે પોતાની બે કંપનીઓ, દેજા વુ એન્ટરટેઈનમેન્ટ અને ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટના શેર રિયાને ટ્રાન્સફર કર્યા હોવાનું પણ કહેવાય છે.

બીજી પત્ની રિયા પિલ્લઈથી છૂટાછેડા લીધા પછી સંજય દત્તે 7 ફેબ્રુઆરી 2008 ના રોજ ગોવાના તાજ એક્ઝોટિકા ખાતે માન્યતા સાથે લગ્ન કર્યા. લગ્નના બે વર્ષ પછી 21 ઓક્ટોબર 2010 ના રોજ આ દંપતીએ તેમના જોડિયા પુત્રોનું સ્વાગત કર્યું.

સંજય દત્તને તેની પહેલી પત્ની રિચા શર્માથી એક પુત્રી 'ત્રિશલા દત્ત છે', જે હવે 37 વર્ષની છે. રિયા પિલ્લઈથી તેને કોઈ સંતાન નથી. માન્યતા દત્તથી તેને જોડિયા બાળકો, એક છોકરો અને એક છોકરી છે.
Published On - 8:43 pm, Fri, 29 August 25