
ગુજરાતના પ્રસિદ્ધ કવિ કલાપીએ રોહાની ટેકરી પર ઘણી રચનાઓ લખી હતી. શાંતિપૂર્ણ અને પ્રકૃતિમય વાતાવરણ ધરાવતું આ સ્થળ, જ્યાં અનેક મોર અને વિવિધ જાતિના પક્ષીઓ વસે છે, તેમના સર્જન માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. આજે પણ અહીં જોવા મળે છે

રોહા કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક નહીં, પરંતુ કચ્છની રાજવી પરંપરા અને વારસાનું જીવંત પ્રતિક છે. તેની કલાત્મક શૈલી, લોકકથાઓ અને કુદરતી સૌંદર્ય પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. અહીંની મુલાકાત માત્ર પ્રવાસનો અનુભવ નથી આપતી,પરંતુ ભૂતકાળની દુનિયામાં લઈ જતી એક અનોખી સમયયાત્રા બની જાય છે.

મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાધા-કૃષ્ણનું મંદિર આવેલું છે, જે આજે પણ આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે. તેની સ્થાપત્ય શૈલીમાં રાજપૂત કળાની ઝલક જોવા મળે છે. અહીં કોતરણીવાળા સુન્દર જાળીઓ, મહેલ જેવા ભાગો તેમજ આસપાસ રાજવી સમયના અવશેષો જોવા મળે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)