Ravindra Jadejaએ પહેલા કેપ્ટનશીપ છોડી અને હવે શું IPL 2022માંથી બહાર થશે

IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દીપક ચહર અને એડમ મિલ્ને જેવા ખેલાડીઓને ઈજાના કારણે ગુમાવ્યા બાદ હવે તેનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ ઈજાગ્રસ્ત થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 4:40 PM
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની બે સૌથી સફળ ટીમો આ વર્ષે ખરાબ સ્થિતિમાં છે.અહેવાલો અનુસાર, જાડેજા બાકીની મેચો નહીં રમે અને તે IPL 2022માંથી બહાર થઈ શકે છે. (ફોટો-પીટીઆઈ)

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની બે સૌથી સફળ ટીમો આ વર્ષે ખરાબ સ્થિતિમાં છે.અહેવાલો અનુસાર, જાડેજા બાકીની મેચો નહીં રમે અને તે IPL 2022માંથી બહાર થઈ શકે છે. (ફોટો-પીટીઆઈ)

1 / 5
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી ન હતી. અહેવાલો અનુસાર, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. રવિન્દ્ર જાડેજાને શરીરના ઉપરના ભાગે ઈજા થઈ છે. (ફોટો-પીટીઆઈ)

તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી ન હતી. અહેવાલો અનુસાર, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. રવિન્દ્ર જાડેજાને શરીરના ઉપરના ભાગે ઈજા થઈ છે. (ફોટો-પીટીઆઈ)

2 / 5
આઈપીએલ 2022 રવિન્દ્ર જાડેજા માટે દુઃસ્વપ્નથી ઓછું નથી. આ ડાબોડી ઓલરાઉન્ડર સીઝનની શરૂઆત પહેલા જ કેપ્ટન બન્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ ચાર મેચ હારી ગઈ. 8 મેચમાં કેપ્ટનશીપ કર્યા બાદ જાડેજાએ સીઝનના મધ્યમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના સ્થાને ધોનીએ ફરી ચેન્નાઈની કમાન સંભાળી છે. (ફોટો-પીટીઆઈ)

આઈપીએલ 2022 રવિન્દ્ર જાડેજા માટે દુઃસ્વપ્નથી ઓછું નથી. આ ડાબોડી ઓલરાઉન્ડર સીઝનની શરૂઆત પહેલા જ કેપ્ટન બન્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ ચાર મેચ હારી ગઈ. 8 મેચમાં કેપ્ટનશીપ કર્યા બાદ જાડેજાએ સીઝનના મધ્યમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના સ્થાને ધોનીએ ફરી ચેન્નાઈની કમાન સંભાળી છે. (ફોટો-પીટીઆઈ)

3 / 5
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજા પર સતત નજર રાખવામાં આવી રહી છે પરંતુ તે જલ્દીથી સાજા થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં, શક્ય છે કે તે બાકીની મેચોમાં ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન બને. (ફોટો-પીટીઆઈ)

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજા પર સતત નજર રાખવામાં આવી રહી છે પરંતુ તે જલ્દીથી સાજા થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં, શક્ય છે કે તે બાકીની મેચોમાં ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન બને. (ફોટો-પીટીઆઈ)

4 / 5
રવિન્દ્ર જાડેજા આ સિઝનમાં 10 મેચમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. બોલિંગમાં પણ તેણે માત્ર 5 વિકેટ લીધી હતી. આ સિવાય તે ફિલ્ડિંગમાં પણ કેચ છુટ્યા છે. (ફોટો-પીટીઆઈ)

રવિન્દ્ર જાડેજા આ સિઝનમાં 10 મેચમાં 19.33ની એવરેજથી માત્ર 116 રન જ બનાવી શક્યો હતો. બોલિંગમાં પણ તેણે માત્ર 5 વિકેટ લીધી હતી. આ સિવાય તે ફિલ્ડિંગમાં પણ કેચ છુટ્યા છે. (ફોટો-પીટીઆઈ)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">