
આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની નિમણૂક 1 માર્ચ 1992ના રોજ ભાજપના તત્કાલિન સાંસદ વિનય કટિયાર અને વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન વડા અશોક સિંઘલ સહિત કેટલાક નેતાઓની સંમતિથી કરવામાં આવી હતી.

આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યુ હતુ કે તેમણે 1975માં અયોધ્યાની સંસ્કૃત પાઠશાળામાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી.જે પછી 1976માં તેમણે અયોધ્યાની સંસ્કૃત કોલેજમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મેળળી.

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આચાર્ય સત્યેન્દ્ર દાસના અવસાનની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ માટે અને અયોધ્યાના લોકો માટે પણ એક મોટો આઘાત છે. તેમના પાર્થિવ દેહને અયોધ્યા લાવવામાં આવશે.