Independence Day : રવીન્દ્રનાથ ટાગોરે 3 દેશોને આપ્યું રાષ્ટ્રગીત..! 8 વર્ષની ઉંમરે પહેલી લખી કવિતા, 16 વર્ષની ઉંમરે લખી વાર્તા

શ્રીલંકા મથા લખનારા આનંદ સમરકુન શાંતિનિકેતનમાં (Shantiniketan) રવીન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) સાથે રહેતા હતા. આનંદ સમરકુને એકવાર કહ્યું હતું કે-તેઓ ટાગોર સ્કૂલ ઓફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:10 AM
રવીન્દ્રનાથ ટાગોરનું (Rabindranath Tagore) નામ લેતા જ આપણું હૃદય તેમના પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. તેઓ કવિ, વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, લેખક અને નાટ્યકાર અને ચિત્રકાર હતા. આ સિવાય તેઓ એક મહાન વિચારક હતા. 1941માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આજે પણ તેમની રચનાઓ, ગીતો અને વિચારો દ્વારા આપણી સાથે છે. તેમને 'ગુરુદેવ' પણ કહેવામાં આવે છે.

રવીન્દ્રનાથ ટાગોરનું (Rabindranath Tagore) નામ લેતા જ આપણું હૃદય તેમના પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. તેઓ કવિ, વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, લેખક અને નાટ્યકાર અને ચિત્રકાર હતા. આ સિવાય તેઓ એક મહાન વિચારક હતા. 1941માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આજે પણ તેમની રચનાઓ, ગીતો અને વિચારો દ્વારા આપણી સાથે છે. તેમને 'ગુરુદેવ' પણ કહેવામાં આવે છે.

1 / 6
ભારતનું રાષ્ટ્રગીત (National Anthem) - જન ગણ મન, રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. તેમના પર એવા પણ આરોપો હતા કે, તેમણે બ્રિટિશ રાજમાં જ્યોર્જ પંચમના વખાણમાં આ રચના કરી હતી, જ્યારે એવું નહોતું. ટાગોરે દેશના સરમુખત્યાર વિશે વાત કરી હતી. જો કે, માત્ર ભારત જ નહીં, અન્ય બે પડોશી દેશોના રાષ્ટ્રગીતમાં ટાગોરે યોગદાન આપ્યું છે.

ભારતનું રાષ્ટ્રગીત (National Anthem) - જન ગણ મન, રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. તેમના પર એવા પણ આરોપો હતા કે, તેમણે બ્રિટિશ રાજમાં જ્યોર્જ પંચમના વખાણમાં આ રચના કરી હતી, જ્યારે એવું નહોતું. ટાગોરે દેશના સરમુખત્યાર વિશે વાત કરી હતી. જો કે, માત્ર ભારત જ નહીં, અન્ય બે પડોશી દેશોના રાષ્ટ્રગીતમાં ટાગોરે યોગદાન આપ્યું છે.

2 / 6
ટાગોરની રચનાઓ બે દેશોના રાષ્ટ્રગીત બની. જ્યાં 'જન ગણ મન' ભારતનું રાષ્ટ્રગીત બન્યું, તો બીજી તરફ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' પણ તેમની રચના છે. શ્રીલંકાનું રાષ્ટ્રગીત 'શ્રીલંકા મથા' પણ ટાગોરની રચનાથી પ્રેરિત છે. શ્રીલંકા મથા લખનારા આનંદ સમરકુન શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોર સાથે રહેતા હતા.

ટાગોરની રચનાઓ બે દેશોના રાષ્ટ્રગીત બની. જ્યાં 'જન ગણ મન' ભારતનું રાષ્ટ્રગીત બન્યું, તો બીજી તરફ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' પણ તેમની રચના છે. શ્રીલંકાનું રાષ્ટ્રગીત 'શ્રીલંકા મથા' પણ ટાગોરની રચનાથી પ્રેરિત છે. શ્રીલંકા મથા લખનારા આનંદ સમરકુન શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોર સાથે રહેતા હતા.

3 / 6

આનંદ સમરકુને એકવાર કહ્યું હતું કે, તેઓ ટાગોર સ્કૂલ ઓફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા. શ્રીલંકા મથાના એક ફકરામાં ટાગોરની કવિતાની ઝલક જોવા મળે છે. ટાગોર બાળપણથી જ સર્જનાત્મક હતા. બાળપણથી જ તેમની રુચિ કવિતા, વાર્તા, ગીત વગેરે લખવામાં હતી.

આનંદ સમરકુને એકવાર કહ્યું હતું કે, તેઓ ટાગોર સ્કૂલ ઓફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા. શ્રીલંકા મથાના એક ફકરામાં ટાગોરની કવિતાની ઝલક જોવા મળે છે. ટાગોર બાળપણથી જ સર્જનાત્મક હતા. બાળપણથી જ તેમની રુચિ કવિતા, વાર્તા, ગીત વગેરે લખવામાં હતી.

4 / 6

ટાગોરે તેમની પ્રથમ કવિતા માત્ર 8 વર્ષની ઉંમરે લખી હતી. વાર્તા વિશે વાત કરીએ તો, તેમની પ્રથમ ટૂંકી વાર્તા 1877માં 16 વર્ષની વયે પ્રકાશિત થઈ હતી. તેમના મોટા ભાઈના કહેવાથી તેઓ પણ કાયદાનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. ત્યાં રહીને તેમણે અભ્યાસ કર્યો પણ ડિગ્રી લીધા વિના ભારત પરત ફર્યા.

ટાગોરે તેમની પ્રથમ કવિતા માત્ર 8 વર્ષની ઉંમરે લખી હતી. વાર્તા વિશે વાત કરીએ તો, તેમની પ્રથમ ટૂંકી વાર્તા 1877માં 16 વર્ષની વયે પ્રકાશિત થઈ હતી. તેમના મોટા ભાઈના કહેવાથી તેઓ પણ કાયદાનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. ત્યાં રહીને તેમણે અભ્યાસ કર્યો પણ ડિગ્રી લીધા વિના ભારત પરત ફર્યા.

5 / 6
ગુરુદેવ ટાગોરને તેમની સૌથી લોકપ્રિય કૃતિ ગીતાંજલિ માટે 1913માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને 'નાઈટહૂડ'નું બિરુદ પણ મળ્યું. જે તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ (1919) પછી પરત કર્યું. વર્ષ 1921માં તેમણે 'શાંતિ નિકેતન'નો પાયો નાખ્યો હતો. જે આજે સેન્ટ્રલ યુનિવર્સિટી 'વિશ્વ ભારતી' તરીકે ઓળખાય છે.

ગુરુદેવ ટાગોરને તેમની સૌથી લોકપ્રિય કૃતિ ગીતાંજલિ માટે 1913માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને 'નાઈટહૂડ'નું બિરુદ પણ મળ્યું. જે તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ (1919) પછી પરત કર્યું. વર્ષ 1921માં તેમણે 'શાંતિ નિકેતન'નો પાયો નાખ્યો હતો. જે આજે સેન્ટ્રલ યુનિવર્સિટી 'વિશ્વ ભારતી' તરીકે ઓળખાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">