
રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર ફરશે. રથયાત્રામાં શણગારેલા ગજરાજ જોડાશે.101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો પણ આ રથયાત્રામાં હાજરી આપશે.

રથયાત્રામાં અમદાવાદ શહેરના 13 હજાર પોલીસ કર્મીઓ ઉપરાંત 6 હજાર હોમગાર્ડ, 15 આર્મ્સ ફોર્સની ટુકડીઓ ખડેપગે ઉપસ્થિત રહેશે. આ સિવાય 1500 થી વધુ સીસીટીવી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.