Rath Yatra 2023 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, ગજરાજનું થયુ મેડિકલ ચેકઅપ
Rath Yatra 2023 : અમદાવાદમાં દર વર્ષે રથ યાત્રામાં શણગારેલા ગજરાજ પણ જોડાતા હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે આ ગજરાજનું મેડિકલ ચેકઅપ પણ થાય છે. અત્યાર સુધી રથયાત્રામાં આવો કોઈ બનાવ બન્યો નથી.

20 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. અમદાવાદમાં દર વર્ષે રથ યાત્રામાં શણગારેલા ગજરાજ પણ જોડાતા હોય છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે આ ગજરાજનું મેડિકલ ચેકઅપ પણ થાય છે. અત્યાર સુધી રથયાત્રામાં આવો કોઈ બનાવ બન્યો નથી. પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરો એ તેમનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. મેડિકલ ચેકઅપના રિપોર્ટ બાદ તેમને રથ યાત્રા માટે મંજૂરી મળે છે.

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં છે. રથયાત્રા પૂર્વે ગજરાજનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. ચાર ટીમ દ્વારા ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કુલ 14 ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.

14 ગજરાજમાંથી 1 નર અને બીજા માદા ગજરાજ છે. નર ગજરાજ ગાંડા બનતા હોય છે તેમના પર વધુ ધ્યાન અપાય છે. તપાસમાં ફિઝિકલ અને મેન્ટલી બને તપાસ કરવામાં આવે છે. ગજરાજ ગાંડા બને તો ઇન્જેક્શન મારી બેભાન કરવાના સાધનો પણ સાથે જ રખાય છે.

રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર ફરશે. રથયાત્રામાં શણગારેલા ગજરાજ જોડાશે.101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો પણ જોડાશે.30 અખાડા, 18 ભજન મંડળી,3 બેન્ડબાજા પણ રથયાત્રામાં જોડશે. અધોધ્યા, નાસિક,ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો પણ આ રથયાત્રામાં હાજરી આપશે.

રથયાત્રામાં અમદાવાદ શહેરના 13 હજાર પોલીસ કર્મીઓ ઉપરાંત 6 હજાર હોમગાર્ડ, 15 આર્મ્સ ફોર્સની ટુકડીઓ ખડેપગે ઉપસ્થિત રહેશે. આ સિવાય 1500 થી વધુ સીસીટીવી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.