એક જ ટ્રેક પર દોડી પેસેન્જર-ગુડ્ઝ ટ્રેન, કયાં થઈ ભૂલ ? સલામત મુસાફરી સામે ફરી ઊભા થયા અનેક સવાલ, જુઓ ફોટા
રેલવે તંત્ર ભૂતકાળના અકસ્માતોમાંથી બોધપાઠ લેવાની વાતો કરે છે પરંતુ તે માત્ર કાગળ પર રહી જતા હોય તેમ મુસાફરોને લાગી રહ્યું છે. રેલવે અકસ્માત ઘટાડવા માટે અશ્વિની વૈષ્ણવ કવચ ની જાહેરાત કરી હતી. ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાની વાતો કહી હતી. આ બધી વાતો કરાઈ છતા દેશમાં રેલ અકસ્માતો થઈ રહ્યાં છે. જેમાં અનેક માનવ જીંદગી પણ તબાહ થઈ રહી છે. દરેક રેલવે અકસ્માત બાદ અનેક સવાલો સર્જાય છે જે મોટાભાગે અનુત્તર રહેલાની સાથે સાથે તેનો કાયમી ઉકેલ શોધાતો નથી.
Most Read Stories