
સરગવાનો પાઉડર વિટામિન B12 નો સીધો સ્ત્રોત ન હોવા છતાં, તેમાં આવેલા પોષક તત્ત્વો આ વિટામિનના શરીરમાં શોષણને વધુ અસરકારક બનાવે છે. સરગવાના પાંદડાઓમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે વિટામિન B12 ના યોગ્ય શોષણ અને ઉપયોગમાં સહાયરૂપ થાય છે. (Credits: - Canva)

સરગવાનો પાવડર વિટામિન B12નો સારો સ્ત્રોત બની શકે છે, ખાસ કરીને તેમના માટે જે માંસાહારી ખોરાક લેતા નથી. તેમાં વિટામિન A, C, E, K સાથે કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક સહિતના ખનિજો અને ફ્લેવોનોઇડ્સ, પોલીફેનોલ્સ તથા ગ્લુકોસિનોલેટ્સ જેવા એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા ગુણધર્મો હોય છે, જે સમગ્ર સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. (Credits: - Canva)

વિટામિન B12 ની કમી ઘટાડવા માટે તમે સરગવાને વિવિધ રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો. સરગવાનો પાવડર પાણી અથવા દૂધમાં મિશ્રિત કરીને રોજ પી શકાય છે, તેમજ સરગવાના તાજા પાનને શાકભાજી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. (Credits: - Canva)

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (Credits: - Canva)