
આનો મતલબ એ નથી થતો કે, સરકાર તમારા પૈસા પરત લઈ લે છે પરંતુ આ એક અલર્ટ સિસ્ટમ હોય છે. જેનાથી એ નક્કી થાય છે કે, પેન્શન યોગ્ય વ્યક્તિને મળી રહ્યું છે કે નહી.

લાંબા સમય સુધી પેન્શન ન નીકળવાથી કેટલીક વખત ડિપાર્ટમેન્ટ એવું માની લે છે કે,વ્યક્તિ હવે જીવીત નથી. ત્યારે પેન્શન રોકવામાં આવી શકે છે પરંતુ પૈસા પરત લેવામાં આવતા નથી. આ રકમ તમારા ખાતામાં જ રહે છે. ત્યારબાદ તમે ક્લેમ કરી શકો છો.

પેન્શન બંધ થવાનું સૌથી સામાન્ય કારણ જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવું છે. આ ઉપરાંત, બેંક ખાતું નિષ્ક્રિય થઈ જવું અથવા KYC અપડેટ ન થવું પણ પેન્શન બંધ થવાનું કારણ બને છે.

જો તમારું પેન્શન પણ કોઈ કારણોસર બંધ થઈ ગયું છે. તો સૌથી પહેલા બેન્ક કે પેન્શન ઓફિસનો સંપર્ક કરો. જીવન પ્રમાણપત્ર ફરીથી સબમિટ કરો. એક નાનકડું લેખિત આવેદન આપો. જેમાં સ્પષ્ટ જણાવો કે ,પેન્શન કેમ બેન્કમાંથી ઉપાડવામાં આવ્યું ન હતુ. KYC ડોક્યુમેન્ટ અપટડે કરો. તમામ પ્રકિયા પુરી થયા બાદ પેન્શન ફરીથી શરુ કરવામાં આવી શકે છે. કેટલાક કેસમાં રોકાયેલું પેન્શનની રકમ વ્યાજ સાથે પરત મળી શકે છે.

આ વાતનું ધ્યાન જરુર રાખો. દર વર્ષે સમયસર લાઈફ સર્ટિફિકેટ જમા કરો. તમારા બેન્ક ખાતાને એક્ટિવ રાખો. જો પેન્શન આવતું નથી તો આને નજર અંદાજ કરો. ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રકારની પેન્શન સાથે જોડાયેલી પ્રકિયાને પુરી કરો.

તમને જણાવી દઈએ કે, સરકાર બેન્ક અકાઉન્ટમાં જમા થયેલું પેન્શન કોઈ પણ કારણ વગર પરત લઈ શકે નહી પરંતુ જો તમે લાંબા સમય સુધી પેન્શન ન ઉપાડો અને જરુરી ડોક્યુમેન્ટ જમા કરતા નથી. તો પેન્શન રોકવામાં આવી શકે છે. આ માટે સમય પર જીવન પ્રમાણપત્ર જમા કરો અને બેન્ક અકાઉન્ટને એક્ટિવ રાખવું ખુબ જરુરી છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)