કાનુની સવાલ : શું તમે ભાડાના ઘરમાં રહો છો ? જાણો મકાનમાલિક એક વર્ષમાં ભાડું કેટલું વધારી શકે છે
જો તમે દર વર્ષે મકાનનું ભાડું વધારવાથી પરેશાન છો. તો ચાલો આજે આપણે વાત કરીશું કાનુની સવાલમાં એક વર્ષમાં મકાન માલિક કેટલું ભાડું વધારી શકે છે.દરેક ભાડૂતને ભાડાના મકાનમાં વીજળી, પાણી અને ગેસ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવાનો અધિકાર છે.

આજે ભારતના મોટાભાગના લોકો નોકરીના કારણે ઘરથી દૂર બીજા શહેરમાં રહે છે. અહી ભાડાના મકાનમાં રહે છે. ભાડે રહેતા લોકોની મોટી સમસ્યા હોય છે. તેનો મકાન માલિક દર વર્ષે ભાડું વધારે છે. કેટલાક સવાલો આપણા મનમાં થતાં હોય છે કે, આને લઈ કાયદો શું છે,

ભારતના દરેક રાજ્યમાં પોતાનો એક રેન્ટ કંટ્રોલ એક્ટ હોય છે. જે નક્કી કરે છે કે, મકાન માલિક ભાડું કેટલી વખત અને કઈ શરતો પર વધારી શકે છે. આજે આપણે આના વિશે વિસ્તારથી વાત કરીશું. તમને જણાવી દઈએ કે, મકાન માલિક એક વર્ષમાં ભાડું વધારતી વખતે તેને નોટિસ આપવી જરુરી છે.

કોઈપણ મકાન માલિક પોતાની મનમરજીથી ભાડું વધારી શકે નહી. આ કાયદેસર રીતે ગેરકાયદેસર માનવામાં આવે છે. જો મકાન માલિક ભાડાની રકમમાં કોઈ ફેરફાર કરી રહ્યો હોય, તો તેણે કેટલાક ચોક્કસ નિયમો અને સ્થાનિક નિયમોનું પાલન કરવું પડશે.

જો તમે એક નક્કી કરેલા સમય પર ધર ભાડે લીધું છે તો. જેમ કે, 11 મહિના કે 1 વર્ષ તો આ સમય સુધી મકાન માલિક ભાડું વધારે શકે નહી. જ્યાં સુધી એગ્રીમેન્ટમાં અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. જો કરારમાં એવું લખેલું હોય કે ભાડું દર વર્ષે 10 ટકા વધશે, તો તે માન્ય ગણવામાં આવશે.

કેટલાક રાજ્યોમાં, ભાડું વધારવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમ કે દર વર્ષે ભાડું ફક્ત 10 ટકા વધારી શકાય છે. આ ઉપરાંત, મકાનમાલિકે ભાડું વધારતા પહેલા નોટિસ આપવી જરૂરી છે. નોટિસ વિના ભાડું વધારવું ગેરકાયદેસર માનવામાં આવે છે.

જો તમે એગ્રીમેન્ટ સાઈન કર્યું છે. તેમાં લખેલું છે કે, દર વર્ષે ભાડું કેટલું વધારવામાં આવશે. સામાન્ય રીતે 5 થી 10 ટકા વધારી શકે છે.મિલકત ટ્રાન્સફર એક્ટ 1882ની કલમ 106 હેઠળ, મકાનમાલિકોએ ભાડું વધારતા પહેલા ભાડૂઆતને લેખિત સૂચના આપવી જરૂરી છે. મકાનમાલિકે ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ લેખિત સૂચના આપવી આવશ્યક છે.

કેટલાક મોટા શહેરોમાં જેમ કે, અમદાવાદ, સુરત, વડોદરા , મુંબઈ,દિલ્હીમાં રેન્ટ કંટ્રોલ એક્ટ લાગુ થાય છે. આવી જગ્યાએ, મકાનમાલિક કાયદા મુજબ ભાડું વધારી શકે છે. સામાન્ય રીતે, દર વર્ષે ભાડામાં ફક્ત 3 થી 5 ટકાનો વધારો કરી શકાય છે. દિલ્હી ભાડું નિયંત્રણ કાયદો અને મહારાષ્ટ્ર ભાડું નિયંત્રણ કાયદો જેવા કાયદા બંનેના અધિકારોનું રક્ષણ કરે છે.

ભારતમાં ભાડા નિયંત્રણ કાયદા હેઠળ, મકાનમાલિક અને ભાડૂઆત બંનેના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અમે તમને ભાડૂઆતના કાનૂની અધિકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મકાનમાલિક કોઈપણ કારણ વગર પોતાની મરજીથી ભાડૂઆતને બહાર કાઢી શકતો નથી. જો તેની પાસે કોઈ નક્કર કારણ હોય, કોર્ટનો આદેશ હોય, તો આ કરી શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
