કાનુની સવાલ : જો કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને પતિનું મૃત્યું થાય, તો પત્ની ભરણપોષણનો દાવો કોની પાસે માંગી શકે?

ભારતીય કાયદા મુજબ, જો છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય અને આ સમયગાળા દરમિયાન પતિનું મૃત્યુ થાય, તો ભરણપોષણનો મામલો કેટલાક કાનૂની પાસાઓ પર આધાર રાખે છે.

| Updated on: Mar 17, 2025 | 3:07 PM
4 / 7
હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ,1956ની કલમ 19 હેઠળ, જો પત્ની તેના સાસરિયાઓ પર આશ્રિત હોય અને તેની પાસે આજીવિકાનું કોઈ સાધન ન હોય, તો તે પતિના માતાપિતા અથવા મિલકતના અન્ય વારસદારો પાસેથી ભરણપોષણ માંગી શકે છે.આ ત્યારે જ લાગુ પડે જ્યારે પત્ની પાસે કોઈ સહારો ન હોય.

હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ,1956ની કલમ 19 હેઠળ, જો પત્ની તેના સાસરિયાઓ પર આશ્રિત હોય અને તેની પાસે આજીવિકાનું કોઈ સાધન ન હોય, તો તે પતિના માતાપિતા અથવા મિલકતના અન્ય વારસદારો પાસેથી ભરણપોષણ માંગી શકે છે.આ ત્યારે જ લાગુ પડે જ્યારે પત્ની પાસે કોઈ સહારો ન હોય.

5 / 7
જો પતિના નામ પર કોઈ જીવન વીમા પોલિસી હતી અને પત્ની તેમાં નોમિની હતી. તો તેને વિમાની રકમ મળશે.જો વીમામાં પત્નીનું નામ નોમિની તરીકે ઉલ્લેખિત ન હોય, તો પણ તે પોતાના હકોનો દાવો કરી શકે છે, ખાસ કરીને જો તે કાનૂની વારસદાર હોય તો.

જો પતિના નામ પર કોઈ જીવન વીમા પોલિસી હતી અને પત્ની તેમાં નોમિની હતી. તો તેને વિમાની રકમ મળશે.જો વીમામાં પત્નીનું નામ નોમિની તરીકે ઉલ્લેખિત ન હોય, તો પણ તે પોતાના હકોનો દાવો કરી શકે છે, ખાસ કરીને જો તે કાનૂની વારસદાર હોય તો.

6 / 7
 જો પત્ની ગરીબ કે અસહાય હોય ટુંકમાં તેની પાસે પોતાની આવકનો કોઈ સ્ત્રોત ન હોય, તો તે વિધવા પેન્શન યોજના હેઠળ સરકારી સહાય મેળવી શકે છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓમાં વિધવા મહિલાઓને પેન્શન આપવામાં આવે છે.તો ચાલો જાણીએ કઈ પરિસ્થિતિમાં પત્નીને મેન્ટેન્સ નહી મળે?જો પત્નીએ પહેલાથી જ પતિથી છૂટાછેડા લઈ લીધા હોય અને ભરણપોષણનો નિકાલ થઈ ગયો હોય, તો પતિના મૃત્યુ પછી તેને ભરણપોષણનો કોઈ અધિકાર રહેશે નહીં.

જો પત્ની ગરીબ કે અસહાય હોય ટુંકમાં તેની પાસે પોતાની આવકનો કોઈ સ્ત્રોત ન હોય, તો તે વિધવા પેન્શન યોજના હેઠળ સરકારી સહાય મેળવી શકે છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓમાં વિધવા મહિલાઓને પેન્શન આપવામાં આવે છે.તો ચાલો જાણીએ કઈ પરિસ્થિતિમાં પત્નીને મેન્ટેન્સ નહી મળે?જો પત્નીએ પહેલાથી જ પતિથી છૂટાછેડા લઈ લીધા હોય અને ભરણપોષણનો નિકાલ થઈ ગયો હોય, તો પતિના મૃત્યુ પછી તેને ભરણપોષણનો કોઈ અધિકાર રહેશે નહીં.

7 / 7
(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)

(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)