
તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું હતો. મુસ્લિમ કપલના નિકાહ થોડા વર્ષો પહેલા થયા હતા. નિકાહ બાદ બંન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો. પતિ-પત્ની વચ્ચે અણબનાવ થવાને કારણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમણે મુબારતથી પોતાના નિકાહને પૂર્ણ કર્યો અને ફેમિલી કોર્ટોમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.

આ કેસમાં હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, છૂટાછેડા માટે લિખિત કરાર હોવો જરૂરી છે તેવું આ કુરાન, હદીસ કે મુસ્લિમ પર્સનલ લોમાં ક્યાંય લખાયેલું નથી.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આપસી સમંતિથી છૂટાછેડા માટે મુબારતી કાનુન છે. આ માટે લેખિત કરારની જરુર રહેતી નથી. હાઈકોર્ટના આ નિર્ણય પર એ મુસ્લિમ કપલ માટે રાહતના સમાચાર છે. જે મુબારતથી અલગ થવા માંગે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
Published On - 7:10 am, Thu, 14 August 25