Vastu Tips : તમારુ ઘર ચોરસ આકારના પ્લોટ પર બનાવવામાં આવ્યું છે ? જાણો વાસ્તુમાં તેનું શું છે મહત્ત્વ
ભારતમાં મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે લોકોને વાસ્તુશાસ્ત્ર અંગે જાણકારી નથી હોતી તેથી ઘણી ભૂલો કરતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર ક્યા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

ત્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

દરેક જમીનમાલિકને તેની જરૂરિયાતો અનુસાર નાના, મોટા અને વિવિધ કદના પ્લોટની જરૂર હોય છે. ઘર બનાવવા માટે વિવિધ પ્રકારના પ્લોટ હોય છે,

કેટલાક પ્લોટ ગોળ, ચોરસ, લંબચોરસ, નળાકાર જેવા અનેક પ્રકારના પ્લોટ અને જમીન પર ઘર બનાવતા હોય છે.

જે પ્લોટના ચાર ખૂણા અને લંબાઈ-પહોળાઈ સમાન હોય તેને ચોરસ પ્લોટ કહેવામાં આવે છે. આ જમીન પર ખૂબ જ સુંદર ઘર બનાવી શકાય છે.

આ જમીન મકાન બાંધકામ માટે ખૂબ જ શુભ છે. આવી જમીન પર ઘર બનાવવાથી દુઃખ અને ગરીબીનો નાશ થાય છે કારણ કે દેવી લક્ષ્મી હંમેશા તેના પર રહે છે.

આ પ્લોટ રોજગારની દ્રષ્ટિએ પણ ખૂબ જ પ્રગતિશીલ માનવામાં આવે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
