Chatrapati Shivaji Maharaj Jayanti 2022: જાણો કેવી રીતે છત્રપતિ બન્યા ‘શિવાજી મહારાજ’

શિવાજી મહારાજે શરૂઆતથી જ કાર્યક્ષમ વ્યૂહરચના અને રણનીતિની મદદથી મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. બીજાપુર અને મુઘલોના વિરોધનો સામનો કરીને તેમણે દુશ્મનોને પોતાની સામે ટકી રહેવા દીધા ન હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 5:58 PM
ભારતીય ઈતિહાસના મુઘલ કાળ દરમિયાન મરાઠાઓએ દેશ માટે આપેલા યોગદાનમાં છત્રપતિ શિવાજી મહારાજનું (Chatrapati Shivaji Maharaj) નામ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રીતે લેવામાં આવે છે. દેશ આજે શિવાજી મહારાજનો 392મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શિવાજી મહારાજે મુઘલો (Mughals) સામે લડત કરી દેશમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડી, જનતામાં એવો વિશ્વાસ જગાડ્યો. જે આજે પણ લોકોને પ્રેરણા અને ઉત્સાહથી ભરી દે છે. તેણે ઔરંગઝેબ સામે સંઘર્ષ કરીને પોતાનું મરાઠા સામ્રાજ્ય સ્થાપ્યું. (Image-Indian booklet)

ભારતીય ઈતિહાસના મુઘલ કાળ દરમિયાન મરાઠાઓએ દેશ માટે આપેલા યોગદાનમાં છત્રપતિ શિવાજી મહારાજનું (Chatrapati Shivaji Maharaj) નામ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રીતે લેવામાં આવે છે. દેશ આજે શિવાજી મહારાજનો 392મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શિવાજી મહારાજે મુઘલો (Mughals) સામે લડત કરી દેશમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડી, જનતામાં એવો વિશ્વાસ જગાડ્યો. જે આજે પણ લોકોને પ્રેરણા અને ઉત્સાહથી ભરી દે છે. તેણે ઔરંગઝેબ સામે સંઘર્ષ કરીને પોતાનું મરાઠા સામ્રાજ્ય સ્થાપ્યું. (Image-Indian booklet)

1 / 7
શિવાજી મહારાજનો  (Chatrapati Shivaji Maharaj)  જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી ભોંસલે એક શક્તિશાળી અને પ્રભાવી સામંત હતા. તેમની માતા જીજાબાઈનો શિવાજી પર ઘણો પ્રભાવ હતો. માતા જીજાબાઈએ તેમનામાં બહાદુરીના સંસ્કારોનો સિંચન કર્યું હતું. સંભાજી શિવાજીના મોટા ભાઈ હતા. (Image-India times)

શિવાજી મહારાજનો (Chatrapati Shivaji Maharaj) જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી ભોંસલે એક શક્તિશાળી અને પ્રભાવી સામંત હતા. તેમની માતા જીજાબાઈનો શિવાજી પર ઘણો પ્રભાવ હતો. માતા જીજાબાઈએ તેમનામાં બહાદુરીના સંસ્કારોનો સિંચન કર્યું હતું. સંભાજી શિવાજીના મોટા ભાઈ હતા. (Image-India times)

2 / 7
શિવાજી (Chatrapati Shivaji Maharaj) ના પિતા શાહજીને (Shahji) બીજાપુરના આદિલશાહ પાસેથી પૂનાની જાગીર મળી હતી. આ પછી બેંગ્લોરની જવાબદારી મળતાં, શાહજીએ ત્યાંનો વહીવટ દાદાજી કોંડોડાદેવને સોંપ્યો. જેમના મૃત્યુ પછી શિવાજીએ તે જવાબદારી લીધી. 16 વર્ષની ઉંમરે શિવાજીએ તોરણા કિલ્લો કબજે કરીને તેમના અભિયાનની શરૂઆત કરી. આના બે વર્ષમાં જ શિવાજીએ પુણેની આસપાસના પુરંધર, કોંધાણા અને છખાન જેવા મહત્વના કિલ્લાઓ કબજે કરી લીધા અને તેમનું અભિયાન કોંકણ સુધી લંબાવ્યું.(Image-file image)

શિવાજી (Chatrapati Shivaji Maharaj) ના પિતા શાહજીને (Shahji) બીજાપુરના આદિલશાહ પાસેથી પૂનાની જાગીર મળી હતી. આ પછી બેંગ્લોરની જવાબદારી મળતાં, શાહજીએ ત્યાંનો વહીવટ દાદાજી કોંડોડાદેવને સોંપ્યો. જેમના મૃત્યુ પછી શિવાજીએ તે જવાબદારી લીધી. 16 વર્ષની ઉંમરે શિવાજીએ તોરણા કિલ્લો કબજે કરીને તેમના અભિયાનની શરૂઆત કરી. આના બે વર્ષમાં જ શિવાજીએ પુણેની આસપાસના પુરંધર, કોંધાણા અને છખાન જેવા મહત્વના કિલ્લાઓ કબજે કરી લીધા અને તેમનું અભિયાન કોંકણ સુધી લંબાવ્યું.(Image-file image)

3 / 7
આ ઘટનાઓ પછી બીજાપુરના (Bijapur) આદિલશાહે જુલાઈ 1648ના રોજ શિવાજીના પિતાને કેદ કર્યા. જે 1649માં રિલીઝ થયા હતા. જ્યારે તેમના પિતાને કેદ કરવામાં આવ્યા હતા, ત્યારે શિવાજીએ તેમના અભિયાનના વિસ્તરણને અટકાવ્યું હતું અને 1655 સુધી પોતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ખૂબ જ કુશળ વ્યૂહરચનાકાર અને રાજકારણી હતા. 1656થી તેને બીજાપુરના અન્ય જાગીરદારો સાથે તકરાર થઈ અને તેણે મુત્સદ્દીગીરીનો આશરો લીધો અને ઘણા સામંતશાહીઓની છોકરીઓ સાથે લગ્ન કરવાની નીતિ અપનાવી. શિવાજીએ તેમના જીવનમાં 8 લગ્ન કર્યા હતા. (Image-Wikimedia-commons)

આ ઘટનાઓ પછી બીજાપુરના (Bijapur) આદિલશાહે જુલાઈ 1648ના રોજ શિવાજીના પિતાને કેદ કર્યા. જે 1649માં રિલીઝ થયા હતા. જ્યારે તેમના પિતાને કેદ કરવામાં આવ્યા હતા, ત્યારે શિવાજીએ તેમના અભિયાનના વિસ્તરણને અટકાવ્યું હતું અને 1655 સુધી પોતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ખૂબ જ કુશળ વ્યૂહરચનાકાર અને રાજકારણી હતા. 1656થી તેને બીજાપુરના અન્ય જાગીરદારો સાથે તકરાર થઈ અને તેણે મુત્સદ્દીગીરીનો આશરો લીધો અને ઘણા સામંતશાહીઓની છોકરીઓ સાથે લગ્ન કરવાની નીતિ અપનાવી. શિવાજીએ તેમના જીવનમાં 8 લગ્ન કર્યા હતા. (Image-Wikimedia-commons)

4 / 7
1657માં, શિવાજી (Chatrapati Shivaji Maharaj) નો મુઘલો (Mughals) સાથે પ્રથમ મુકાબલો થયો. જેમાં તેઓ જીત્યા. શાહજહાંની માંદગીના કારણે ઔરંગઝેબને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. મુઘલો પાસેથી ઘણા પ્રદેશો છીનવી લીધા પછી, 1659માં આદિલ શાહની સેના સાથે શિવાજીનું યુદ્ધ પ્રતાપગઢ કિલ્લા પર થયું. જેમાં શિવાજીનો વિજય થયો. પરંતુ ઔરંગઝેબે દિલ્હીની ગાદી મેળવી લીધા બાદ તેણે શૈસ્કા ખાનને દોઢ લાખ સૈનિકો સાથે શિવાજી પર હુમલો કરવા મોકલ્યો. શૈસ્કા ખાને પૂના અને શિવાજીના લાલ મહેલ પર કબજો કર્યો પરંતુ ટૂંક સમયમાં જ શિવાજીએ છાપામાર પદ્ધતિથી હુમલો કર્યો. શૈસ્કા ખાનને ઇજા પહોંચાડી અને તેને ભગાડી મુક્યો.(Image-File Image)

1657માં, શિવાજી (Chatrapati Shivaji Maharaj) નો મુઘલો (Mughals) સાથે પ્રથમ મુકાબલો થયો. જેમાં તેઓ જીત્યા. શાહજહાંની માંદગીના કારણે ઔરંગઝેબને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. મુઘલો પાસેથી ઘણા પ્રદેશો છીનવી લીધા પછી, 1659માં આદિલ શાહની સેના સાથે શિવાજીનું યુદ્ધ પ્રતાપગઢ કિલ્લા પર થયું. જેમાં શિવાજીનો વિજય થયો. પરંતુ ઔરંગઝેબે દિલ્હીની ગાદી મેળવી લીધા બાદ તેણે શૈસ્કા ખાનને દોઢ લાખ સૈનિકો સાથે શિવાજી પર હુમલો કરવા મોકલ્યો. શૈસ્કા ખાને પૂના અને શિવાજીના લાલ મહેલ પર કબજો કર્યો પરંતુ ટૂંક સમયમાં જ શિવાજીએ છાપામાર પદ્ધતિથી હુમલો કર્યો. શૈસ્કા ખાનને ઇજા પહોંચાડી અને તેને ભગાડી મુક્યો.(Image-File Image)

5 / 7
આ પછી ઔરંગઝેબે (Aurangzeb) રાજા જયસિંહને શિવાજી પર નિયંત્રણ કરવા માટે મોકલ્યા. જયસિંહ ઓછા સૈનિકો પછી પણ શિવાજીને (Chatrapati Shivaji Maharaj)નબળા કરવામાં સફળ રહ્યા અને શિવાજીને સમાધાન કરવા દબાણ કર્યું. 11 જૂન 1665ના રોજ પુરંધરની સંધિમાં (Treaty of Purandhar)શિવાજીએ મુઘલોને 23 કિલ્લાઓ આપવા પડ્યા અને તેમની પાસે માત્ર 12 કિલ્લા જ બાકી રહ્યા. આટલું જ નહીં, ચાર લાખ સોનાનું મુદ્રા આપવા ઉપરાંત તેણે સંભાજીને મુઘલોના દક્ષિણના અભિયાનમાં મદદ કરવા મોકલવા પડ્યા.(Image-Pintrest)

આ પછી ઔરંગઝેબે (Aurangzeb) રાજા જયસિંહને શિવાજી પર નિયંત્રણ કરવા માટે મોકલ્યા. જયસિંહ ઓછા સૈનિકો પછી પણ શિવાજીને (Chatrapati Shivaji Maharaj)નબળા કરવામાં સફળ રહ્યા અને શિવાજીને સમાધાન કરવા દબાણ કર્યું. 11 જૂન 1665ના રોજ પુરંધરની સંધિમાં (Treaty of Purandhar)શિવાજીએ મુઘલોને 23 કિલ્લાઓ આપવા પડ્યા અને તેમની પાસે માત્ર 12 કિલ્લા જ બાકી રહ્યા. આટલું જ નહીં, ચાર લાખ સોનાનું મુદ્રા આપવા ઉપરાંત તેણે સંભાજીને મુઘલોના દક્ષિણના અભિયાનમાં મદદ કરવા મોકલવા પડ્યા.(Image-Pintrest)

6 / 7
1666 ઔરંગઝેબે (Aurangzeb) શિવાજીને આગ્રા બોલાવ્યા અને સંભાજીને કેદ કર્યા. પરંતુ શિવાજી (Chatrapati Shivaji Maharaj) તેમના પુત્ર સાથે ત્યાંથી ભાગી ગયા. ત્યારપછીના કરારોમાં ઔરંગઝેબે શિવાજીને રાજાનું પદ આપ્યું. પરંતુ 1670 પછી ઔરંગઝેબને દક્ષિણમાં પોતાની સત્તા ઘટાડવી પડી. આનો લાભ લઈને શિવાજીએ સુરત પર હુમલો કર્યો. આ પછી શિવાજીએ મુઘલોને આપવામાં આવેલા તેમના તમામ કિલ્લાઓ પાછા મેળવી લીધા અને 1674માં છત્રપતિ બન્યા. (Image_jagran josh)

1666 ઔરંગઝેબે (Aurangzeb) શિવાજીને આગ્રા બોલાવ્યા અને સંભાજીને કેદ કર્યા. પરંતુ શિવાજી (Chatrapati Shivaji Maharaj) તેમના પુત્ર સાથે ત્યાંથી ભાગી ગયા. ત્યારપછીના કરારોમાં ઔરંગઝેબે શિવાજીને રાજાનું પદ આપ્યું. પરંતુ 1670 પછી ઔરંગઝેબને દક્ષિણમાં પોતાની સત્તા ઘટાડવી પડી. આનો લાભ લઈને શિવાજીએ સુરત પર હુમલો કર્યો. આ પછી શિવાજીએ મુઘલોને આપવામાં આવેલા તેમના તમામ કિલ્લાઓ પાછા મેળવી લીધા અને 1674માં છત્રપતિ બન્યા. (Image_jagran josh)

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">