
બુમરાહ અટકનો ઇતિહાસ ઉત્તર ભારત સાથે સંકળાયેલો છે. જેમાં ખાસ કરીને પંજાબ સાથે જોડાયેલો છે. તે પંજાબી શીખ સમુદાયોમાં ઉદ્ભવ્યો છે, જ્યાં અટક ઘણીવાર કુળ, વ્યવસાય અથવા પ્રતીકાત્મક નામોમાંથી વિકસિત થઈ છે.

વિકિપીડિયા મુજબ,બુમરાહ અટકનું વૈકલ્પિક સ્વરૂપ છે, જે પંજાબી અટકોની શ્રેણીનો એક ભાગ છે. 19મી સદીમાં બ્રિટિશ સમયગાળા દરમિયાન, ઘણા પંજાબી પરિવારો ગુજરાત જેવા પ્રદેશોમાં સ્થળાંતર કરીને ગુજરાતી ભાષી સમુદાયોમાં અટક જોવા મળે છે.

વૈશ્વિક સ્તરે પણ બુમરાહ અટક પ્રસિદ્ધ છે. આ અટક યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં પણ જોવા મળે છે, જ્યાં ભારતીય ઇમિગ્રન્ટ્સ તેને લાવ્યા હતા.

સમય જતાં, બુમરાહ અટક ધરાવતા લોકોએ વિવિધ સામાજિક ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ બ્રિટિશ સંસ્થાનવાદ અને ભાગલા (1947) દરમિયાન ઘણા પરિવારો વિસ્થાપિત થયા હતા. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)