‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ ગાંધીનગરમાં સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કર્યું

07 મે, 20220ના રોજ હેડક્વાર્ટર દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડે ગાંધીનગરના (Gandhinagar) પાલજ ગામ ખાતે સ્વચ્છ ભારત અભિયાનનું આયોજન કર્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 3:33 PM
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ ગાંધીનગરમાં સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિનો હેતુ સ્થાનિક લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ ગાંધીનગરમાં સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિનો હેતુ સ્થાનિક લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

1 / 4
 વાયુ યોદ્ધાઓ સમગ્ર ગામને આવરી લેવા માટે યોદ્ધાઓના પાંચ જૂથમાં વહેંચાઇ ગયા હતા. પોલિથિનની કોથળીઓ દૂર કરવાની ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.

વાયુ યોદ્ધાઓ સમગ્ર ગામને આવરી લેવા માટે યોદ્ધાઓના પાંચ જૂથમાં વહેંચાઇ ગયા હતા. પોલિથિનની કોથળીઓ દૂર કરવાની ઝૂંબેશ પણ હાથ ધરવામાં આવી હતી.

2 / 4
વાયુ સેનાના તબીબી અધિકારીઓએ સામુદાયિક સફાઇ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્ત્વ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ટીમે ગ્રામજનોને મચ્છરજન્ય રોગો અટકાવવા અંગે પણ સલાહ આપી હતી.

વાયુ સેનાના તબીબી અધિકારીઓએ સામુદાયિક સફાઇ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્ત્વ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. ટીમે ગ્રામજનોને મચ્છરજન્ય રોગો અટકાવવા અંગે પણ સલાહ આપી હતી.

3 / 4
વાયુ યોદ્ધાઓની પ્રવૃતિઓથી પ્રેરિત થઇને ગ્રામજનો પણ અભિયાનમાં ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા. સરપંચે ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રવૃતિઓ ચાલુ રાખશે.

વાયુ યોદ્ધાઓની પ્રવૃતિઓથી પ્રેરિત થઇને ગ્રામજનો પણ અભિયાનમાં ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા. સરપંચે ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં પણ ‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રવૃતિઓ ચાલુ રાખશે.

4 / 4

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">