
બ્લડ સુગર લેવલમાં વધઘટ : સવારે મોડો નાસ્તો કરવાથી બ્લડ સુગર લેવલ અસંતુલિત થઈ શકે છે. જ્યારે આપણે મોડા નાસ્તો કરીએ છીએ, ત્યારે શરીર લાંબા સમય સુધી ખોરાક વિના રહે છે. જેના કારણે બ્લડ સુગર ઘટવા લાગે છે. આ પછી જ્યારે આપણે અચાનક વધુ ખાવાનું શરૂ કરીએ છીએ ત્યારે બ્લડ સુગર ઝડપથી વધી શકે છે. બ્લડ સુગરમાં વારંવાર વધઘટ થવાથી ડાયાબિટીસ જેવી સમસ્યા થઈ શકે છે.

ખરાબ ડાઈજેશન : જો તમે મોડા નાસ્તો કરો છો તો લંચ પણ મોડું થાય છે. તેનાથી વધારે ખાવાની સમસ્યા થઈ શકે છે. વારંવાર ખાવાથી વજન વધવાની સાથે પેટમાં ભારેપણું અને અપચો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

હોર્મોનલ અસંતુલન : નાસ્તો મોડો કરવાથી શરીરમાં ભૂખ સંબંધિત હોર્મોન્સનું લેવલ વધે છે. જો તમે આ આદતને લાંબા સમય સુધી ફોલો કરો છો તો તેનાથી હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. આ કારણે રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.

માનસિક અને શારીરિક થાક : સવારનો નાસ્તો માનસિક અને શારીરિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. જો તમે નાસ્તો મોડો કરો છો તો દિવસની શરૂઆતમાં શરીર અને મગજને જરૂરી પોષક તત્વો મળતા નથી. જેના કારણે તમે માનસિક થાક, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા અને શારીરિક નબળાઈ અનુભવી શકો છો.