
વરિયાળીમાં મેલાટોનિન હોય છે, જેનાથી સારી અને જલ્દી ઉંઘ આવી જાય છે. એટલા માટે રાત્રિના સમયે વરિયાળીનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

વરિયાળીનો ઉપયોગ તમામ લોકોના ઘરોમાં મસાલા તરીકે થાય છે. આ સિવાય વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે.વરિયાળીનો ઉપયોગ આપણા ઘરોમાં સદીઓથી પેટ સંબંધિત સમસ્યાઓ માટે રામબાણ તરીકે કરવામાં આવે છે.